________________
it
બીએ એ બીજા
મન હોય તો માળવે જવાય. આ કહેવત તો સહુએ સાંભળી હશે, પણ મુંબઈના યોગેશ ગાંધીએ તો પોતાના જીવનથી આ કહેવતને સાચી કરી બતાવી.
બાળપણમાં જ આપત્તિની આંધી યોગેશની આસપાસ વીંટળાઈ વળી. એ બાળલકવાનો શિકાર થયો. એની અસરથી યોગેશના બંને પગની શક્તિ ક્ષીણ થઈ ગઈ. થોડો સમય તો પથારીવશ રહેવું પડ્યું. કોઈ પાણી આપે ત્યારે પાણી પિવાય, ભોજન આપે ત્યારે જમાય, પણ આવી આપત્તિથી યોગેશ ડરે તેમ ન હતો. એ ચાલવા માટે સતત મથામણ કરવા લાગ્યો. ધીરે ધીરે ચાલવા માટે કૅલિપર(ખાસ પ્રકારના બૂટ)થી ડગ ભરવા માંડ્યો.
આ સમયે યોગેશ પોતાના ગોઠિયાઓને તો હસતા-કુદતા જુએ, મેદાનમાં રમત રમતા જુએ. એને રમત જોવાની ભારે મજા આવે. એમાંય બરાબર મુકાબલો જામ્યો હોય એવો ખેલ જોવામાં તો અનોખો આનંદ આવે. યોગેશ વિચારે કે હુંય આ બધાની માફક રમું તો ? પરંતુ અહીં ચાલવાની જ તકલીફ, ત્યાં વળી રમવાની વાત જ ક્યાં થાય ?
- યોગેશ એમ ડરી જાય તેવો ન હતો. તેણે તો નિશ્ચય કર્યો કે ગમે તે થાય. પણ મારે રમવું જ છે ! પોતાની શારીરિક સ્થિતિને એણે હસતાં હસતાં અપનાવી લીધી, એની બહુ પરવા જ ન કરી.
યોગેશને ટેબલ ટેનિસની રમત બહુ ગમે, પણ આ રમત તેને માટે તો ભારે કપરી ગણાય. એમાં તો દડેદડે આગળ, પાછળ કે બાજુ પર જઈને ખેલવું પડે, દરેક ફટકે હલનચલન કરવું પડે. અહીં તો પગ જ
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org