________________
-TTU
L E ER, Eઇ શકી છે ETTલ - મUTRU & રાજાના
BE
ઈશાનની મeતી
ટરસાઇકલની તીવ્ર ઝડપને હું અનુભવી શકું છું અને કહો કે સુંધી પણ શકું છું. હકીકતે મોટરસાઇકલ અને એની ઝડપી ગતિ વિશે હું દૃષ્ટિવંત વ્યક્તિઓ કરતાં પણ વધારે સાવધાની દાખવી શકું છું.”
આ શબ્દો છે સાહસિક ઇયાન ઓલવેના, જેની જિંદગીમાં સૌથી પ્રબળ ઇચ્છા અને એકમાત્ર ચાહના ઝડપભેર મોટરસાઇકલ ચલાવવાની છે. ઊંચી ટેકરી પરથી ઢોળાવોમાં ઝડપભેર નીચે જવું અને ચઢાણમાં ઊંચે ચડતી વખતે પૂરી ઝડપે ઉપર જવું. મેદાન પરના નાના નાના ખાડાઓ કૂદી જવા અને તે પણ પૂરા વેગથી. મોટરસાઇકલની ઝડપ સાથે એની એવી મૈત્રી છે કે જેમ એ વધુ ઝડપે જાય, તેમ એને વધુ આનંદ આવે છે.
આ બધી વાતો સાચી, પણ ઇયાન ઑલવેનું જીવન સવિશેષ તો દઢ નિશ્ચય અને અપ્રતિમ સાહસની કથા છે, કારણ કે એ તદ્દન અંધ છે. એક મોટર અકસ્માતમાં મોટરની આગળના કાચની કણીઓ એની બંને આંખોમાં ઊંડી પેસી ગઈ અને એની બંને આંખોની રોશની ચાલી ગઈ.
અંધત્વ પામ્યો ત્યારે પ્રારંભે તો સહુ કોઈ ઇયાનની સારસંભાળ લેતા હતા, એટલે પોતાના અંધત્વ વિશે એ ઝાઝો વિચાર કરતો નહોતો, પરંતુ જ્યારે એણે કોઈનીય સહાય વિના એ એકલો શું કરી શકે છે એ | જોવાની કોશિશ કરી, ત્યારે એને ખ્યાલ આવ્યો કે એની હાલત કેવી | કફોડી છે ? પરંતુ ઝડપભેર મોટરસાઇકલ ચલાવવાનો શોખીન જિંદગીના અવરોધોથી અટકી જાય તેવો નહોતો. એણે નક્કી કર્યું કે “પોતે અંધ છે એવું એ સહેજે માનતો નથી, પરંતુ એ અંધત્વને સાથે રાખીને એના અવરોધોમાંથી રસ્તો ખોળવામાં શ્રદ્ધા ધરાવે છે.” આમ બીજા દૃષ્ટિહીન
ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org