________________
એણે ધીરે ધીરે અન્ય રમતોને બદલે પોતાની સૌથી પ્રિય રમત | રકાબીફેંક પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એ પછીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એ આ રકાબીફૅકમાં વિજય મેળવતી રહી.
તાલીમી કેમ્પમાં ત્રણ ત્રણ મહિનાની આકરી તાલીમ પછી ૧૯૯૪માં ચીનના બેજિંગમાં રમાયેલા, વિકલાંગો માટેના એશિયાઈ રમતોત્સવમાં માલતીએ બીજા ક્રમે આવીને રીપ્ય ચંદ્રક મેળવ્યો. પોતાની આ સિદ્ધિથી માલતી સંતુષ્ટ થઈ, પણ એ સિદ્ધિનાં યશોગાન સાંભળવામાં અટકી ગઈ નહીં. એણે ટેબલટેનિસ અને સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું અને હવે જ્યારે શારીરિક શક્તિ થોડી ક્ષણ પણ થઈ છે ત્યારે એ રમતક્ષેત્રને અલવિદા કહેવાને બદલે કોઈ નવી રમત પર હાથ અજમાવવા માગે છે. એ નિશાનબાજી (શૂટિંગ) અને તલવારબાજી(ફેન્સિગ)માં રસ લેવા અને શીખવા લાગી ગઈ છે.
૧૯૯૬માં માલતીના જીવનમાં નૂતન આનંદનો સંચાર થયો. ઉત્કૃષ્ટ ભારતીય ખેલાડીઓને ભારત સરકાર દ્વારા અર્જુન એવૉર્ડ એનાયત કરવામાં આવે છે. જીવનના મેદાનમાં અને ખેલના મેદાનમાં વિજયી | બનનારી માલતીને અર્જુન એવોર્ડ એનાયત થયો. આ સમયે માલતીએ કહ્યું,
મારી સિદ્ધિઓનો આવો સ્વીકાર થયો છે એનાથી હું આનંદ અને ગૌરવ અનુભવું છું. હવે હું એમ માનું છું કે મારું વિકલાંગપણું એ ઈશ્વરી દેન છે. જો હું બીજા સામાન્ય લોકો જેવી જ હોત તો મેં આટલા બધા જુદા જુદા પ્રયત્નો કર્યા ન હોત. મારો હેતુ તો આપત્તિઓનો સામનો કરનારી રોલ મોડેલ બનવાનો છે. માત્ર વિકલાંગો માટે જ નહીં, પણ સહુને માટે.”
જે સમયે બેંગ્લોરની માલતીને અર્જુન એવૉર્ડ મળ્યો, એ જ સમયે બેંગ્લોરમાં વસતા ભારતના કાબેલ સ્પિનર અનિલ કુંબલેને પણ એવૉર્ડ એનાયત થયો. અનિલ કુંબલેને આની જાણ થઈ, ત્યારે એણે માલતી હોલ્લાને અભિનંદન આપતાં કહ્યું, “મને એ વાતનો આનંદ છે કે અનેક મુશ્કેલીઓનો સફળતાપૂર્વક સામનો કરનાર આપના જેવી વ્યક્તિ સાથે મને અર્જુન એવૉર્ડ પ્રાપ્ત થયો છે.”
૧૪૧
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org