________________
૧૩૬
ele Ftthle
પોતાની વિકલાંગતાનો એણે સ્વીકાર કર્યો, પણ સાથોસાથ આ વિકલાંગતા એ કોઈ અવરોધ નથી. માત્ર એ જિંદગીમાં આવતા અવરોધને ઓળંગવાની એક જુદી કળા માગે છે. એ સાચું કે એને અન્ય વ્યક્તિઓ કરતાં દરેક કાર્ય કરતાં થોડી વધુ ‘તકલીફો’ ઉઠાવવી પડે, પરંતુ એ ‘તકલીફો’ ઉઠાવો પછી તમે સહુ કોઈની માફક સઘળું કાર્ય કરી શકો છો.
આ વિચારે માલતીમાં એક નવી ચેતના જગાડી. એના ચિત્તમાં એવો દૃઢ નિર્ધાર જાગ્યો કે જીવનની રાહમાં આફતોના પથ્થર આવે ખરા, પણ એમાંથી એણે પ્રગતિનાં પગથિયાં રચવાનાં છે. વળી પોતાની પ્રગતિનો પથ એણે સ્વયં કંડારવાનો છે.
આજ સુધી ભૂતકાળની દુઃખદ ઘટનાઓ માલતીના મનમાં ઘૂમરાતી હતી અને પોતાના બદનસીબને એ સતત કોસતી હતી. એક ભાઈ અને બહેન પછી કર્ણાટકના કોટામાં વસતા ક્રિષ્નમૂર્તિને ત્યાં માલતીનો જન્મ થયો હતો. બીજા સ્વસ્થ અને હૃષ્ટપુષ્ટ બાળક જેવી જ એ હતી. નવમા મહિને એ ભાંખોડિયાભેર ચાલવા લાગી અને પછી તો આખા ઘરમાં ઘૂમી વળવા લાગી. એના પિતા ક્રિષ્નમૂર્તિ આ છોકરીનાં તોફાન અને દોડધામથી થાકી ગયા હતા. પળેપળ એના પર નજર રાખવી પડતી હતી. માલતી ચૌદ મહિનાની થઈ ત્યારે એને એકાએક ખૂબ સખત તાવ ચડ્યો અને એને પરિણામે પોલિયો થયો.
પોલિયો તો કેવો ! એનો ડોકથી નીચેનો આખોય ભાગ નિશ્ર્યિ બની ગયો. ન હાથ ચલાવી શકે, ન પગ ચલાવી શકે. માત્ર પોતાની ડોક આમતેમ ફેરવી શકે. અધૂરામાં પૂરું પક્ષાઘાતનો એવો પ્રબળ હુમલો હતો કે એનો અવાજ પણ થોડા દિવસ માટે ચાલ્યો ગયો.
ક્રિષ્નમૂર્તિ પુત્રીની આવી દશા જોઈને મૂંઝાઈ ગયા. દવાખાનાની દોડધામ શરૂ થઈ. બેંગ્લોરની વિક્ટોરિયા હૉસ્પિટલમાં આ નાનકડી માલતીને ‘શૉક ટ્રીટમેન્ટ' આપવામાં આવી. પરિણામે એ ધીરે ધીરે પોતાના હાથ અને કાંડાની ઉ૫૨ના ભાગનો ઉપયોગ કરવા લાગી, પરંતુ શરીરના નીચેનાં અંગોમાં કશું થઈ શકે તેમ ન હતું. એક તો એની કરોડરજ્જુ પર ઈજા થઈ હતી. જ્ઞાનતંતુઓનો સ્થાયી સંકોચ થવાથી
K
www.jainelibrary.org
Jain Education International
**
For Private & Personal Use Only