________________
કુટુંબી હોય, તો કોઈ એની નિશાળના ગોઠિયા. પથારીમાં પડ્યો પડ્યો આ નાનકડો છોકરો તરેહ તરેહની વાતો સાંભળે. કોઈ કહે,
“અરેરે, બિચારો ચંદુ ! એની કેવી ભૂંડી હાલત થઈ છે ! હવે એ કશું કરી નહીં શકે. એને બિચારાને કોઈના સહારે જ જીવન ગાળવું પડશે.”
તો બીજી વ્યક્તિ કહે, “અરેરે ! આવી દુઃખદ નિરાધારી કરતાં તો મરી જવું બહેતર.”
કોઈ ત્રીજો એનો દોસ્ત કહે, “બિચારા ચંદુએ બંને હાથ ગુમાવ્યા. એને ક્રિકેટનો ભારે શોખ હતો. ‘વિજય ક્રિકેટ ટીમ' નામની એણે જ બનાવેલી ટીમમાં હવે એ બિચારો નહીં રમી શકે. પંજો હોય તો જ બૅટ પકડાય ને !”
તો વળી કોઈ કહે, “પંજા વિનાનું જીવન તો ભારે પરવશ કહેવાય. બધી બાબત માટે બીજા પર જ આધાર રાખવાનો. અરેરે બિચારો ચંદુ !”
ખાટલામાં પડ્યો પડ્યો બાર વર્ષનો ચંદુ આ બધું સાંભળે ખરો, પણ આ સાંભળીને એ લાચાર બનતો નથી, પોતાની નિરાધારી પર આંસુ સારતો નથી, જીવનમાં આવના૨ી મુશ્કેલીઓથી આ બાળક ડરતો નથી. એના હૈયામાં હિંમત છે, મનમાં મહાત ન થવાની મુરાદ છે.
એક બાજુ લોકો આવી વાતો કરે, તો ચંદુના મનમાં એક બીજી જ વાત ઘોળાયા કરે. એણે એક યુવાનની કથા વાંચી હતી. એ યુવાને કોઈ અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા હતા, છતાં એ આગળ અભ્યાસ કરતો હતો. મુશ્કેલીથી કદી પાછો પડતો ન હતો. એની તમન્ના તો ભણીગણીને મોટો ઇજનેર થવાની હતી.
બાર વર્ષના બાળકના મનમાં આ વાત ઘોળાઈ રહી. એને થયું કે જો આ હાથ વગરનો માનવી ઇજનેર બને, તો પોતે શા માટે આગળ વધી ન શકે ? એણે નક્કી કર્યું કે હાથ ન હોય તેથી શું ? પણ હૈયું તો છે ને !
બસ, એના મોંમાં એક જ રટણ ચાલ્યા કરે. હું સઘળું શીખીશ. હું સઘળું કરીશ. કદીય હિંમત નહીં હારું.
K
*
Jain Education International
ક્
For Private & Personal Use Only
૯૯
ele lehle
www.jainelibrary.org