________________
૯૦
ale <ehle
ગભરાય !
પહેલવાન થવા માટે પહેલાં તો કસરત કરવી પડે. આથી ઠૂંઠા છોકરા પદ્મરાજે ઘ૨માં છાનામાના કસરત કરવા માંડી.
એક દિવસ ચોરીછૂપી વ્યાયામ કરતા પદ્મરાજને એના બનેવી જોઈ ગયા. પદ્મરાજને આમ વ્યાયામ કરતો જોઈને એ ગુસ્સે થયા. એમણે કહ્યું,
“વ્યાયામનો આટલો બધો શોખ છે, તો અખાડામાં કેમ આવતો નથી ? ઘરકૂકડો છે તું તો !”
પદ્મરાજે જવાબ વાળ્યો, “મારે પહેલવાન થવું છે !”
બનેવીએ કહ્યું, “તારે પહેલવાન થવું હોય તો આ રીતે વ્યાયામ ક૨વાથી થવાશે નહીં. તે માટે તો અખાડામાં જઈને કુસ્તી કરવી પડશે.” “પણ અખાડામાં મારાથી ન જવાય.”
“વાહ ! અખાડામાં કેમ ન જવાય ? એવું શું છે કે અખાડામાં તું ન જઈ શકે ?”
પદ્મરાજે કહ્યું, “પિતાજીને કુસ્તી તરફ ખૂબ નફરત છે. એમણે એક વાર કહ્યું હતું કે તારે અડધો હાથ નથી. પંજો જ નથી. પછી તું પહેલવાન થઈશ કેવી રીતે ? માટે મફતની માથાકૂટ મૂકી દે. બીજી વાત એ કરી કે પહેલવાન થવા માટે ખૂબ કુસ્તી લડવી પડે અને ખૂબ કુસ્તી લડીશ, તો તારી બુદ્ધિ જાડી થઈ જશે. આમ એક તો શરીરની ખોડને લીધે પહેલવાન થવાનો નથી અને વધારામાં તારી બુદ્ધિશક્તિ ખોઈ બેસીશ. ધંધો, વેપાર કે નોકરી પણ કરી શકીશ નહીં. તું નહીં રહે ઘરનો કે નહીં રહે ઘાટનો !'
""
આ સાંભળીને પદ્મરાજના બનેવી ખડખડાટ હસી પડ્યા. એમણે
કહ્યું,
“અરે, આ તો સાવ ખોટી વાત ! હું પહેલવાની કરું છું, કુસ્તી ખેલું છું, છતાં તને મારી બુદ્ધિ ઓછી થઈ હોય એવું લાગે છે ખરું ? હું સરસ રીતે વેપાર ખેડી જાણું છું. તું તારા પિતાની બીક રાખીશ નહીં. હું એમને
K
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only