________________
ન
ન
મ
-
- - - -
૧૯૮૧માં તારાનાથે પાલ્કની ખાડી પાર કરી. એ પછી ઇંગ્લિશ ખાડી પાર કરી. હવે એને ઇંગ્લિશ ખાડીને બંને બાજુથી તરીને પાર કરવાની ઇચ્છા જાગી. એની બહેને તારાનાથને ઇશારાથી પૂછયું, “બધામાં સાત સાગર તરવાની સિદ્ધિ એ યોગ્ય સિદ્ધિ ગણાય.”
એના જવાબમાં તારાનાથે કહ્યું, “ઇંગ્લિશ ચેનલ એ ઇંગ્લિશ ચૅનલ છે. એનો જાદુ જ જુદો છે.”
આ પછી તારાનાથે મુંબઈમાં ગેઇટ વે ઑફ ઇન્ડિયાથી ધરમતાર અને ત્યાંથી પાછા ગેઇટ વે ઓફ ઇન્ડિયા આવવાની સ્પર્ધામાં ઝુકાવ્યું. ૧૯૮૪ની પંદરમી માર્ચે ૧૭ કલાક અને ૪૩ મિનિટ સુધી ચોવીસ વર્ષના તારાનાથે તરીને આ અંતર પસાર કર્યું. હવે એની મહેચ્છા બંને બાજુથી ઇંગ્લિશ ખાડી તરવાની છે. આ માટે એણે એક પ્રયાસ પણ કર્યો, પરંતુ એમાં માત્ર આઠ માઈલ બાકી હતા ત્યારે દરિયાના તોફાન અને ગાઢ ધુમ્મસને લીધે આ પ્રયાસ છોડી દેવો પડ્યો. તારાનાથ એ નિષ્ફળતામાં તણાઈ જનારો માણસ નથી. આથી હવે ફરી આર્થિક મદદ મળે તો એ ન ઇંગ્લિશ ખાડીને બંને બાજુથી તરવા માટે પ્રયત્ન કરવા આતુર છે, પણ
આજે તો એ જગતભરમાં સૌથી ઝડપી વિકલાંગ તરવૈયા તરીકે નામના $ | પામી ચૂક્યો છે.
૮૪
અપંગનાં ઓજસ
_1કેટના મહાન ઓલરાઉન્ડર તરીકે વિખ્યાત ઈંગ્લેન્ડના વિલ્ફી રોઝે પ૮ ટેસ્ટમાં ૨૩૨ ૫ રન કર્યા અને ૧૨૭ વિકેટ ઝડપી. બત્રીસ વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં એમણે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ૧,૫૨૮ દાવમાં ૩૯,૮૦ર રન કર્યા અને ૪,૧૮૭ વિકેટ મેળવી. ત્રેપનમાં વર્ષે નિવૃત્ત થયા પછી એમણે બંને આંખોની રોશની ગુમાવી, આમ છતાં તેઓ દરેક ટેસ્ટ જોવા જતા અને માત્ર ફટકાના અવાજ પરથી બહોળા અનુભવને આધારે એ કયા પ્રકારનો ફટકો છે તે જાણી શકતા. નજીકની વ્યકિતને એ ફટકાનું વર્ણન કરતા, ત્યારે એને ભાગ્યે જ ખ્યાલ આવતો કે આ મહાન ખેલાડી ચક્ષુહીન છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org