SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકમાં વર્જવાના ૩૨ દોષ - વિસ્તારથી મનના ૧૦ દોષ (૧) અવિવેક દોષ : સામાયિકના સમય દરમિયાન આત્મહિત સિવાય બીજા વિચાર કરવા. (૨) યશકીર્તિ દોષ : લોકમાં પોતાની વાહ વાહ થાય એવી ઇચ્છાથી સામાયિક કરવું. (૩) લાભવાંછા દોષ : સામાયિક કરવા દ્વારા કોઈ પણ જાતના ધનની ઈચ્છા રાખવી. (૪) ગર્વ દોષ : બધા કરતાં મારું સામાયિક સારું છે, હું બધાથી ચડિયાતો છું વગેરે ગર્વભર્યા વિચાર કરવા. (૫) ભય દોષ : હું સામાયિક નહિ કરું તો લોકો મારું ઘસાતું બોલશે એવા ભયથી સામાયિક કરવું. (૬) નિદાન દોષ : સામાયિકના ફળ રૂપે કોઈ પણ જાતના સાંસારિક સુખની ઇચ્છા રાખવી. (૭) સંશય દોષ : મને સામાયિકનું ફળ મળશે કે નહિ એવી શંકા રાખીને સામાયિક કરવું. (૮) રોષ દોષ : કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં ને રોષમાં સામાયિક કરવું. (૯) અવિનય દોષ : જ્ઞાન, દર્શન, ચારિત્ર અને એના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું. (૧૦) અબહુમાન દોષ : ભક્તિભાવ, બહુમાનભાવ અને ઉમંગ રહિતપણે સામાયિક કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004949
Book TitleSamayik Sutro ane Ucchar Vichar
Original Sutra AuthorN/A
AuthorHitvijay
PublisherJaypal Manilal Sanghvi, Ahmedabad
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy