________________
સામાયિકમાં વર્જવાના ૩૨ દોષ - વિસ્તારથી મનના ૧૦ દોષ
(૧) અવિવેક દોષ : સામાયિકના સમય દરમિયાન આત્મહિત સિવાય બીજા વિચાર કરવા.
(૨) યશકીર્તિ દોષ : લોકમાં પોતાની વાહ વાહ થાય એવી ઇચ્છાથી સામાયિક કરવું.
(૩) લાભવાંછા દોષ : સામાયિક કરવા દ્વારા કોઈ પણ જાતના ધનની ઈચ્છા રાખવી.
(૪) ગર્વ દોષ : બધા કરતાં મારું સામાયિક સારું છે, હું બધાથી ચડિયાતો છું વગેરે ગર્વભર્યા વિચાર કરવા.
(૫) ભય દોષ : હું સામાયિક નહિ કરું તો લોકો મારું ઘસાતું બોલશે એવા ભયથી સામાયિક કરવું.
(૬) નિદાન દોષ : સામાયિકના ફળ રૂપે કોઈ પણ જાતના સાંસારિક સુખની ઇચ્છા રાખવી.
(૭) સંશય દોષ : મને સામાયિકનું ફળ મળશે કે નહિ એવી શંકા રાખીને સામાયિક કરવું.
(૮) રોષ દોષ : કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં ને રોષમાં સામાયિક કરવું.
(૯) અવિનય દોષ : જ્ઞાન, દર્શન, ચારિત્ર અને એના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું.
(૧૦) અબહુમાન દોષ : ભક્તિભાવ, બહુમાનભાવ અને ઉમંગ રહિતપણે સામાયિક કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org