SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જ સામાયિકમાં વર્જવાના ૩૨ દોષ - સંક્ષેપથી મનના ૧૦ દોષ ૧. શત્રુ ઉપર ક્રોધ કરવો. ૨. અવિવેકવાળા વિચાર કરવા. ૩. સૂત્રાર્થ ન વિચારવો. ૪. મનમાં કંટાળવું. ૫. યશની ઇચ્છા રાખવી. ૬. અવિનય કરવો. ૭. ભય રાખવો. ૮. સાંસારિક કામના વિચાર કરવા. ૯. સામાયિકનું ફળ મળશે કે નહિ એવી શંકા રાખવી. ૧૦. નિયાણું કરવું. વચનના ૧૦ દોષ : ૧. કુવચન બોલવું. ૨. હુંકાર-ગર્વ કરવો. ૩. પાપનું કામ કરવા કહેવું. ૪. લવારો કરવો. ૫. કજિયો-કલહ કરવો. ૬. આવો, જાઓ, બેસો વગેરે હુકમો કરવા અને સત્કાર વચન બોલવાં. ૭. ગાળ બોલવી, શાપ દેવો. ૮. બાળકને રમાડવું. ૯. નિંદા-કૂથલી, વિકથા કરવી. ૧૦. ઠઠ્ઠા-મશ્કરી કરવી. કાયાના ૧૨ દોષો : ૧. આસન સ્થિર ન રાખવું. ૨. ચારેય બાજુ જોયા કરવું. ૩. સાવદ્ય કામ કરવું. ૪. આળસ મરડવી. ૫. અવિનયવાળું વર્તન કરવું. ૬. ટેકો દઈને બેસવું. ૭. શરીરનો મેલ ઉતારવો. ૮. ખણવું - ખજવાળવું. ૯. પગ ઉપર પગ ચડાવીને બેસવું. ૧૦. ઢાંકવા લાયક અંગ ઉઘાડું મ. ૧૧. ઉઘાડું મૂકવા લાયક અંગ ઢાંકવું. ૧૨. ઊંઘવું. | “ડ-ગ' આ બે અનુનાસિક વ્યંજનોનો ઉચ્ચાર સામાન્ય જન પણ કરતો જ હોય છે. પ્રાકૃતમાં ઉચ્ચારણમાં “ડ-ગ' આ બે અનુનાસિક વ્યંજનો નથી એમ ન જ કહેવાય. લેખનમાં ભલે ન હોય, ઉચ્ચારણમાં તો છે જ. - શ્રી કે. કા. શાસ્ત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004949
Book TitleSamayik Sutro ane Ucchar Vichar
Original Sutra AuthorN/A
AuthorHitvijay
PublisherJaypal Manilal Sanghvi, Ahmedabad
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy