________________
૮s
તે ધ્યાન અને જીવન અણગમતું કેટલું ય બનતું જ રહે છે. વળી જીવ નિસત્ત્વ નિર્માલ્ય તે સહેજ પણ ઓછું પડેલું સહી શક્તો નથી, ચલાવી લેવા ખુશી નથી, પછી આર્તધ્યાનને ક્યાં બોલાવવા જવું પડે એવું છે ?
. ત્યારે વિચારવા જેવું છે કે વારે ને વારે આર્તધ્યાન ચાલ્યા કરે એમાં કર્મો કેવાં બંધાયા કરવાનાં ? અશુભના ઢગ ! તિર્યંચગતિને યોગ્ય પાપકર્મના બંધ ! ખબર છે ને કે કર્મને ત્યાં ઉધારો નથી ? હૃદયના જેવા ભાવ, જેવા અધ્યવસાય, તે જ સમયે તેવાં કર્મનો બંધ. લેવા-ખાવાનું ઓછું, માલ વિનાનું, પણ આર્તધ્યાન વારે વારે ચાલવાથી અશુભ કર્મોની કમાઈ ભારે થતી જ રહે. જીવની આ કેવી દુર્દશા ! માપ કાઢો દિવસભરમાં આ કેટકેટલું ચાલે છે ? માટે જ આ ટાળવા-અટકાવવા સારુ એ ઓછું પડેલામાં કે અનિષ્ટ લાગેલામાં સારું તત્ત્વ જોવાનું, દા.ત. “પૈસા ઓછા મળ્યા કે ખોવાયા એ સારું થયું, પાપ ઓછા થશે”, ફલાણો ભારે બોલી ગયો સારું થયું, આપણને ક્ષમા નમ્રતા કેળવાણી... વગેરે.”
*
*
*
IIIIIIIIIIIII
IIIIIIIIIIIIIIIIIIII
૧૩. આર્તધ્યાન-વેદનાનુબંધી
હવે આર્તધ્યાનના બીજા પ્રકારનો વિચાર કરીએ, જીવન જીવતાં કોઈ રોગ, કોઈ વ્યાધિ, કોઈ નાનો-મોટો અકસ્માત વગેરે આવે છે ત્યારે એની પીડા વેદના મનને અકળાવી મૂકે છે. ત્યાં આ વેદનાનુબંધી આર્તધ્યાન આવીને ઊભું રહે છે. એટલે “ક્યો વૈદ-ડોક્ટર પકડું, કઈ દવા ખાઉં, પથ્ય શું સાચવું, દવાનો ટૂંક ક્યારે ક્યારે થાય છે? હજી દવાનો ફાયદો ન થયો? આવું ક્યાં સુધી ચાલશે...?” ઈત્યાદિ ઈત્યાદિ વલોપાત રહ્યા કરે છે. માનવસ્વભાવઃ પોતાનામાં જ રસ :
કેમ જાણે પોતાનો આત્મા એ કોઈ વસ્તુ જ નથી, તે એનો કોઈ વિચાર જ નહિ! વિચાર માત્ર ખોખાનો, ને એની જ વ્યાધિ-વેદના પડા ટાળવાનો ! બીજાને વાત કરવાની હોય તો એની જ. બીજા પાસેથી સાંભળવાનું હોય તો એનું જ. એમાં ય પોતાની જ કાયાને અને પોતાની જ નીરોગિતાને એટલું બધું મહત્ત્વ કે પેલો જો પોતાની જ કાયા-વ્યાધિ વગેરેની માંડે, તો એના પર સહાનુભૂતિ નહિ, પણ કંટાળો ! એને તો રસ માત્ર પોતાની કાયામાં, પોતાની નીરોગિતામાં, પોતાના રોગ અંગેની વાતમાં, માનવસ્વભાવ કેવો છે ? સૌને વધારેમાં વધારે રસ પોતાનામાં છે, પોતાના સ્વાર્થની વાત-વસ્તુમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org