________________
નું ધ્યાન અને જીવન (૫) પ્રશંસાથી ઉત્સાહિત કરી પછી એને કહેવું કે જો આ જરીક ભૂલ કરવાની બિનસાવધાની તને આગળ પ્રગતિમાં વિઘ્નરૂપ થશે. તારે મહાન બનવાનું છે, તો એ માટે સાવધાની બહુ જરૂરી છે.' એમ પ્રશંસા મહાન બનવાની પ્રેરણા અને હિતોપદેશ દઈ દેવા. આ સાયકોલોજી છે. આમ બગડેલામાં પણ સારા તત્ત્વના અવસર સચવાશે. જરા ધીરજથી વિચારવા જેવું છે. ધીરજથી જોતાં બગડેલામાં પણ કોઈ ને કોઈ સારું તત્ત્વ મળી આવશે. કર્મના અકાટ્ય ઉદય અને જડની તુચ્છતા :
એ સારું તત્ત્વ શોધી કાઢવા માટે મન ફોરું રાખો, પણ આપત્તિથી ભારે ન થવા દો. પૂર્વે બાંધી મૂકેલા કર્મોનું અકાટ્ય બળ અને જડવસ્તુની તુરચ્છતા-બિનકિંમતીપણું, આ બે નજર સામે બરાબર તરવર્યા કરે તો આપત્તિ યાને અનિષ્ટ બાબત પ્રસંગ કે પદાર્થ આવી પડતાં મન ભારે નહિ થાય. આપત્તિના વિયોગની ગડમથલમાં ચિત્ત ન પડે, આર્તધ્યાન ન થાય. સમજી મૂક્યું છે કે કર્મના ઉદય ટાળી શકાવાના નથી, તેમ જડનું એવું મહત્ત્વ નથી, માટે ચાલે એમ ચાલવા દો, આપણું મન મહાન છે, બહુ કિંમતી છે. તો એને ભારે કર્યા વિના એનાથી આમાં આત્મોપયોગી કોઈ સારું તત્ત્વ શોધી લેવા દે.' એમ વિચારી એ તત્વની ખોજમાં પડવાથી આર્તધ્યાન ઊઠતું અટકી જશે.
આર્તધ્યાન રોકવાની આ મહાન ચાવી કે મન ફોરું રાખીને કર્મના અકાટ્ય ઉદય અને જડની તુચ્છતા વિચારી સારું તત્ત્વ શોધી લઈ મનને એ સારામાં પરોવવાની જરૂર છે.
મનને કોઈ ને કોઈ વિચારવા જોઈએ જ છે. તેથી જો એને સારું વિચારવાનું ન આપ્યું તો એ નરસામાં પડવાનું. માટે સારું તત્ત્વ શોધી કાઢવાનો કસબ શીખી રાખવાનો. આપત્તિ ગમે તે આવો ને, અનિષ્ટ ગમે તે બનો ને, આપણે તો એમાં જરા ઝીણી નજર બનાવવાની, એ જ જોવાનું કે આમાં સારું તત્ત્વ શું મળે એમ છે? ત્યારે એ પૂછો કે સારા તત્ત્વમાં શું શું આવે?
સારા તત્ત્વમાં તો ઘણી ઘણી વસ્તુઓ છે.
મૈત્રી ભાવના, કરુણા ભાવના, વૈરાગ્ય ભાવ, ક્ષમાદિ ગુણની તક, પરિગ્રહની બલા પર કાપ, કોઈ હિંસા આરંભ-સમારંભથી બચાવ,... વગેરેમાંનું કોઈ ને કોઈ સારું તત્ત્વ શોધી કઢાય, ગોઠવી શકાય. મનને એમાં પરોવાય. એટલે નરસા નકામા અને નિરાશાજનક વિચારથી મનને દૂર રાખી શકાય. નહિતર તો આર્તધ્યાન ડગલે ને પગલે ઊભું જ છે, કેમકે પુણ્ય કાચું છે એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org