________________
૧૨. આર્તધ્યાન ટાળવાના ત્રણ મહાન ઉપાય
આમ અનિષ્ટ-અણગમતી વસ્તુ ટાળવા કે અટકાવવાનું આર્તધ્યાન ન થવા દેવા માટે ત્રણ મહાન ઉપાય થયા કે -
(૧) જડ વિષયોને મહત્ત્વ ન આપતાં આત્મ-હિતકર પ્રભુ ભક્તિ-ક્ષમા-નિસ્પૃહતા આદિને મહત્ત્વ આપવું.
(૨) કર્મના અકાટ્ય ઉદય પર શ્રદ્ધા રાખી, એ ટાળવાની નિષ્ફળ ગડમથલ ન કરતાં અવસર પ્રાપ્ત ઉચ્ચ સાધનાને વધાવી લેવી.
(૩) એ માટે બગડેલામાંથી સારું તત્ત્વ શોધી કાઢવું.
સવાલ મનનો છે. જડની ગડમથલથી મનને ખોટું સંસ્કારિત કરવાની શી જરૂર ? ઉત્તમ સમ્યક્ત્વના સડસઠ વ્યવહાર અને બાવ્રતની વિગતો વારંવાર વિચારી વિચારી મનને સારું ભાવિત કાં ન કરવું ? જીવનમાં એ ક્યાં ક્યાં લાગુ થઈને કેવી કેવી ચિત્તની નક્કર શાંતિ લાવે છે, એ કાં ન જોયા કરવું ? ને કાં ન વધાવવું ?
ત્યારે બીજા ઉપાયમાં, આર્તધ્યાન પડતું મૂકી શુભ ચિંતનનો સોનેરી અવસર ઝડપી લેવામાં શાંતિ કેટલી બધી ? સારું તત્ત્વ શોધી લઈ એને જ મુખ્યતા આપવામાં કેટલી બધી ચિત્ત સ્વસ્થતા !
બગડેલામાંથી સારું તત્ત્વ શોધો :
આમાં જરા હોશિયારી રાખવાની છે. ઝીણી ઝીણી વાતના કેટલાંય આર્તધ્યાનના પ્રસંગ આવે છે ત્યાં એ શોધી કાઢવાનું છે કે ‘મનમાં આ ગોટા વાળ્યા કરતાં આમાં કોઈ સારું તત્ત્વ વિચારવાનું છે કે નહિ ?' શોધીએ તો મળી આવે. દા.ત. સ્નેહી રીસાયા, હવે એમને કેમ મનાવવા, કેમ મનાવવા એની ચિંતા-વિમાસણનું આર્તધ્યાન કરવા કરતાં, એ મનાયાથી એની સાથે મિલન વાતોચીતો વગેરેમાં જે સમય જાત એ પરમાત્માનું સ્મરણ-જાપ, સામાયિક કે શાસ્ત્રવાંચન-મનન યા સંતસમાગમમાં ખરચવો. આર્તધ્યાનના સમયને તત્ત્વ વિચાર કે નમસ્કાર મંત્રના સ્મરણમાં લગાડી દેવો. એથી પુણ્ય વધ્યે કે કાલક્ષેપ થયે સહેજે સામાની રીસ ઓછી થશે.
એમ છોકરે કે માણસે કાંઈ બગાડ્યું, તો હવે જો એ મહત્ત્વનું નથી તો એની હાયવોય કરતાં ચિત્તને કોઈ સારા કામમાં જોડી દેવું અને જો એ મહત્ત્વનું છે, તો પણ આર્તધ્યાન કર્યા વિના છોકરાને કે માણસને એની બીજી સારી વાત વસ્તુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org