________________
ની ધ્યાન અને જીવન ૭ - મહાત્માને રસ પરના ભલામાં :
મહાન આત્માઓ આમાંથી બાદ છે, કેમકે એમના દિલ એવા ઉમદા છે કે એમને સ્વાર્થનું નહિ પણ પરાર્થનું વ્યસન હોય છે, એટલે પરના ભલાની વાતમાં એમને વિશેષ રસ હોય છે. અવસરે પોતાની ભારે પીડાની ય પરવા નહિ, પણ સામાને થોડી પણ પીડા ન આવે એની જ ચિંતા !
બંધક મુનિને રાજાએ મોકલેલા મારાઓ આવીને કહે છે કે “અમારા રાજાના હુકમથી અમે તમારી ચામડી ઉતારી લેવા આવ્યા છીએ.”
ત્યારે મુનિ ખુશી થઈ કહે છે, “ભલે, સારું કર્યું રાજાએ. એ તો મારે સગા ભાઈ કરતાં ભલેરો. હવે તમને તમારું કામ કરતાં હાથને તકલીફ ન થાય એ માટે તમે કહો એ રીતે હું રહું.”
આ કેટલો બધો ઉમદા વિચાર ! પોતાની જીવતા શરીરે આખી ચામડી ઉઝરડાઈ જવાની પીડાનું દુઃખ નહિ, પણ ઉઝરડનારને તકલીફ થાય એનું દુઃખ ! આ ઉચ્ચ કોટિની ઉમદાગીરી છે. દિલ આપણું ઉમદા છે એનું માપ આપણી પીડા ભૂલી સામાની પીડાની ચિંતા કરીએ એના પર નીકળે છે. એથી ઉલટું પરપીડાની પરવા જ નહિ અને પોતાની પીડા અટકાવવાની કે પોતાની સુખસગવડ સમાલી લેવાની ચિંતા એ અધમતાનું લક્ષણ છે. અભક્ષ્ય ખાઈને બિમારી મિટાવે, મહાકર્માદાનના ધંધા કરી પૈસા કમાય,... ઈત્યાદિમાં આવું જ છે. માનવજીવન શા માટે?
(૧) ઉત્તમતામાંથી અધમતામાં જવા માટે ? (૨) અધમના અધમ બન્યા રહેવા માટે ? કે (૩) અધમતામાંથી ઉત્તમતા કેળવવા માટે ?
જો આપણે પૂર્વભવે અલ્પ કષાય અને દાનરુચિ આદિ ગુણોથી મનુષ્ય-આયુષ્ય બાંધીને આવ્યા છીએ તો તો ઉત્તમતા લઈને આવ્યા કહેવાય. તો હવે શું એમાંથી ઊતરી અધમતામાં જવાનું?
પરપીડાની પરવા વિના આપણી જ પીડા ટાળવાનો કે સગવડ મેળવવાનો રસ એ અધમતા છે. અભક્ષ્ય દવાના રસિયા હરણખાઉ વાઘવજી જેવા :
જંગલી શિકારી વાઘવને એ આવડે છે. હરણિયાને જીવતાં ચવામણની થતી દારુણ પીડાની પરવા કર્યા વિના પોતાની ભૂખની પીડા ટાળવાનો જ એને રસ ! એવું આજે બિમાર માણસ ઈંડા વગેરે અભક્ષ્ય દવા સેવે એમાં શું છે ? અભક્ષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org