________________
- ૯૮ન ધ્યાન અને જીવન | દવા બનવામાં જીવોને રેસાવાની કે છૂંદાવાની જે ઘોર પીડા થાય એની પરવા નહિ, ને માત્ર પોતાની પીડાને ટાળવાની તાલાવેલી.
ઉત્તમતા લાવવી હોય તો કદાચ પોતાને પીડા ન ગમતી હોય તોય, (૧) પરને પીડવાની વાત ન જોઈએ, ને (૨) પરને પીડીને ઊભી થતી સાધન-સામગ્રીનો રસ ન જોઈએ.
મહાત્માએ તો પોતાની જીવતાં ચામડી ઉઝરડાવાની ઘોર પીડામાં ય સામાને જરા હાથે તકલીફ ન થાય એની ચિંતા કરી, તો આપણે આપણી થોડી ય તકલીફમાં બીજ જીવોને રેંસાઈ જવાનું દુઃખ ન થાઓ, એટલું ય ન વિચારીએ ? જે એ વિચાર ન હોય તો આપણે પૂર્વભવે કમાયેલી ઉત્તમતામાંથી અધમતામાં ઊતર્યા એમ કહેવાય.
પૂર્વભવે કદાચ માત્ર આયુષ્ય બાંધવાના કાળે જ આપણે કાકતાલીય ન્યાયે અલ્પ કષાય અને દાનરુચિ આદિ ગુણવાળા બન્યા હોઈએ, ને તેથી માનવ-આયુષ્ય ઉપાર્જ લીધું હોય, પરંતુ ત્યાં જીવન આખું તો કષાયોના આવેશ અને કૃપણતા ક્ષુદ્રતા વગેરે દોષોમાં જ પસાર થયું હોય, એટલે સહજ છે કે એમાં પરપીડાની પરવા ન હોય. પછી એ અધમતા લઈને અહીં આવી તો ગયા, પરંતુ હવે આ સમજ્યા પછી શું કરવાનું ? અધમતા ચાલુ રાખવાની ? કે ઉત્તમતામાં જવાનું ? અહીં જે ઉત્તમતા બરાબર ન કેળવ્ય ગયા, તો પછી કહો આગળ ઉપર કેવા ભવે એ કેળવાશે ? અને અહીં અધમતા રાખી રહ્યું પછીના ભવો ય કેવા આવવાના? કુદરતનો કર્મસત્તાનો કાનૂન છે કે,
અહીં કેળવેલી અધમતાને યોગ્ય એવા હલકા ભવ મળે છે કે જેમાં સારી રીતે અધમતા કેળવાય-આચરાય.
એટલે તો પછી મામલો ખત્મ જ ને ? આનું મૂળ અહીંની અધમ જીવનસરણી છે. એ અધમતા માત્ર પોતાની પીડા યેન કેન પ્રકારે ટાળવાની ચિતાને લીધે થયેલી.
વાત એ હતી કે રોગ વ્યાધિ વેદના આવતાં આત્માની કોઈ યાદ જ નહિ ! કાયામાં જ ચિત્ત તન્મય, તે વારે ને વારે ચિત્ત દવા-દારૂ, પથ્ય-આરામ વગેરેમાં જ વ્યાકુળ રહે છે અને મનની ચોંટ “આ રોગ પીડા કેમ ટળે ? ટળે તો સારું” એના પર રહે છે. આ બીજા પ્રકારનું આર્તધ્યાન છે. એ વર્તમાન અંગેનું આર્તધ્યાન.
એમ, રોગ પીડા ટળ્યા પછી મનની ચોંટ એ પર જે રહે કે “હવે આવો રોગ, આવી પીડા ન આવે તો સારું', તો એ પણ આ બીજા પ્રકારનું જ આર્તધ્યાન છે, કિન્તુ ભવિષ્ય અંગેનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org