________________
ધ્યાન અને જીવન
૮૯
એવી રીતે ભુતકાળ સંબંધી પણ આ બીજા પ્રકારનું આર્તધ્યાન થાય, તે એ રીતે કે ભુતકાળમાં વ્યાધી-વેદના ટળી એના પર અને પછી વ્યાધી વેદના ન આવ્યા એના પર હરખ સાથે ચિત્ત ચોંટે, મનને એમ થાય કે 'હાશ ! પેલી વ્યાધિ વેદના ટળી ને ફરી ન આવી એ સારું થયું', આ ભૂતકાળ અંગેનું આર્તધ્યાન છે.
આમ ત્રણે ય કાળ અંગે વ્યાધિ-વેદનાના વિયોગનું અને અનાગમનનું આર્તધ્યાન થઈ શકે છે. આ આર્તધ્યાનનું કારણ (૧) પોતાના આત્માને ભૂલી, (૨) પૂર્વકર્મને ભૂલી અને (૩) ધર્મને ભૂલી એકલી કાયાનો રસિયો બન્યો રહે, તે છે. માટે આ આર્તધ્યાનથી બચવું હોય તો આત્મા, પૂર્વકર્મ અને ધર્મ ત્રણે ય સતત નજર સામે રાખો.
***
૧૪. વેદનાના આર્તધ્યાનથી કેમ બચાય ?
(૧) વેદનાના આર્તધ્યાનથી બચવા આ ઉપાય છે, કે કાયા સાથે આત્માનો વિચાર જોઈએ. મનને એમ થાય કે, અરે ! હું આ એક ભવની મૂડીરૂપ કાયાના રોગ-આરોગ્ય સુખ-દુઃખનો વિચાર કરું છું, પણ ભવો-ભવની મૂડીરૂપ મારા પોતાના આત્માનો વિચાર કેમ નથી કરતો ? કાયાના રોગ કરતાં આત્માના કર્મરોગ અને રાગાદિ વ્યાધિઓ તો ઘણી છે, ને એ મહાભયંકર છે. એને ટાળવાનો કેમ વિચાર નથી ? ઉલટું એ રાગાદિ તો પુષ્ટ થયે જાય એવા જ ધંધા ચાલી રહ્યા છે. ખરી રીતે કાયાના રોગનું દુઃખ તો સામાન્ય છે, પણ કાયા પ્રત્યેનો રાગ, ને રોગ પ્રત્યે દ્વેષ, એ દુઃખને વધારી મૂકે છે.
જો આ રાગ-દ્વેષ ન હોય તો તો કાયાના રોગનું કોઈ દુ:ખ ન લાગે.
એટલે દુઃખ રોગનું નથી, પણ રાગ-દ્વેષનું છે. ઘરમાં દેરાણીને બહુ કામ કરવું પડતું હોય અને જેઠાણી શેઠાણી બની બેસતી હોય, ત્યાં જો દેરાણીને તાવ આવે તો એને એ દુઃખરૂપ નથી લાગતો, એને એ ગમે છે. એના મનને એમ થાય છે કે ‘હાશ ! મજુરીમાંથી બચી. હવે રોગ મોડો જાય તો સારું.' બોલો આમાં રોગનું દુઃખ ક્યાં લાગ્યું ? અત્યારે એને નીરોગી કાયા પર રાગ નથી, ને રોગ પર દ્વેષ નથી, તેથી રોગ દુઃખરૂપ નથી લાગતો.
કાયાના રોગને શું રૂએ ? જન્મોજન્મ દુ:ખ દેનારા આત્મરોગને રો ઃ
આત્માનો વિચાર હોય તો મનને એમ થાય કે ‘જીવડા ! કાયાના રોગને શું રુએ ? અહીં અને જનમ જનમ દુ:ખી કરનારા કર્મરોગ અને રાગ-દ્વેષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org