SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૦મ ધ્યાન અને જીવન ઈષ્ય-અસૂયા, લોભ-લંપટતા, હિંસા-અસત્ય-અનીતિના ભાવ વગેરે વગેરે આત્મરોગની ચિંતા કર. એ ટાળનારા ઉપાયોમાં બહુ લાગ.” આમ આત્માના વિચારથી વ્યાધિ-વેદનાનું આર્તધ્યાન અટકે. (૨) એમ કર્મના વિચારથી પણ આર્તધ્યાન અટકે. રોગ પીડા આવે ત્યાં મનને એમ થાય કે, “શા માટે રોગને રોઉં છું? એ રોગને લાવનારા પૂર્વોપાર્જિત કર્મ પર રોવા જેવું છે કે “મેં પૂર્વે ખરાબ કર્મ કેવાં ઉપાજ્ય કે એથી આવા રોગ આપત્તિ વગેરે ઉપદ્રવ આવે છે ? અરે ! કર્મનો ય શો દોષ ? એ કર્મ બંધાવનાર વિચાર-વાણી-વર્તાવનાં દુષ્કૃત્યો મેં કેવાં કરેલાં ? ધિક્કાર હો એ દુષ્કૃત્યોને અને એ દુષ્કૃત્ય કરનાર મારા આત્માને ! હવે સાવધાન બની એવાં દુષ્કૃત્યથી બચું. રોગની વ્યાકુળતાનું આર્તધ્યાન એ પણ દુષ્કૃત્ય છે, તો હું શા માટે એ કરી પાછા પાપકર્મ બાંધું? જો આવો પૂર્વે બાંધેલા કર્મનો વિચાર હોય તો ય આર્તધ્યાન અટકે. પ્ર. - આ સમજાય છે તો ખરું પરંતુ રોગની પીડા વખતે એ ભૂલી જવાય છે, એનું શું થાય ? ઉ. - સમજવા માત્રથી અવસરે યાદ આવે, એવો નિયમ નથી અને યાદ આવવા માત્રથી મનના ભાવ ફરી જાય એવું પણ નથી. (૧) અવસરે યાદ નહિ એનું એક કારણ એ છે, કે રોગ વગેરેમાં જીવને જે વ્યાકુળતા થાય છે એ જુગજુના સંસ્કારને લીધે બને છે. એટલે હવે એની સામે જે વ્યાકુળતા ન થવા દેતાં સમતાભાવ ઊભો કરવો હોય. તો એ માટે પણ તેવા સંસ્કાર જોઈએ, ને એ ઊભા કરવા માટે સમતાભાવની વારે વારે ભાવના કરવી જોઈએ. આ ભાવના કરવાનું, હવે એ જુઓ કે, તત્ત્વ સમજવા છતાં ક્યાં થયા કરે છે ? મનમાં ગોટા તો બીજા ચાલતા રહે છે. એટલે સંસ્કાર એના જ પડે, પણ સમતાભાવના ક્યાંથી પડે ? એ તો વારંવાર મનમાં લાવ્યા કરવું જોઈએ કે બાહ્ય રોગ પીડા-આપત્તિ એ તો કર્મ-ગુમડાનું નસ્તર છે.' ગુમડું હોય તો જ નસ્તરનો અવસર અને નસ્તર મૂકાયે ગુમડાં સાફ. ત્યાં નસ્તરની પીડા વધાવી લેવામાં આવે છે, કેમકે નજર સામે બેઠું છે કે “આનાથી ગુમડું સાફ થઈ આરોગ્ય મળશે. તો પછી અશુભ કર્મ રૂપી ગુમડાં પાકી જવાથી શરીરમાં રોગ-પીડા કે બીજી આપત્તિ આવી. પણ એ દ્વારા હવે એ કર્મો સાફ થવાના છે, તો એ રોગ વગેરેને અંતરથી કાં ન વધાવી લેવા ?' - આ ભાવના વારંવાર કરતા રહેવાય તો એના સંસ્કાર જામે. પછી અવસરે એ કામ લાગે. વ્યાધિ-વેદના-ઉપદ્રવ આવતાં કર્મગુમડાં સાફ થવાના આનંદમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy