SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન પેલા સંસ્કાર મનમાં સમતાભાવ ઊભો કરી આપે. સારાંશ, તત્ત્વ સમજને વારંવાર ભાવનામાં ઉતારવી જોઈએ. નિયમ છે કે પ્રતિપક્ષ ભાવનાથી રાગાદિનો હ્રાસ થતો આવે છે.’ તત્ત્વ-ભાવનાથી અતત્ત્વના સંસ્કાર ઘસાતા આવે, પછી અતત્ત્વની અસર મંદ પડી જાય. માટે અહીં સાંભળ્યા સમજ્યા પછી બહાર જાઓ ત્યાં એની ભાવના ચાલુ રહેવી જોઈએ. તો મોકા ઉ૫૨ એ ઉપયોગી થાય. બિમારી આવે એટલે આ વિચારવું - બિમારીમાં શું શું વિચારવું ? : (૧) કર્મના નિર્ધારિત અનિવાર્ય ઉદય. (૨) બિમારીમાં એ કર્મ ખપી જવાની મહાન કમાઈ. (૩) કાયા કરતાં આત્માના રોગોની ચિંતા અને એના નિકાલનું મહત્ત્વ. (૪) વેદનાના આર્તધ્યાનથી, ભોગવાતા કર્મ કરતાં, બંધાતાનો મોટો કર્મભાર... વગેરે વગેરેનો વિચાર આવીને જો ઊભો રહે, તો પછી આર્તધ્યાનને વેગ ન મળે. પરંતુ આ ચાર બાબતો અવસરે યાદ આવે એ માટે એની ભાવનાને વિના રોગે પણ વારંવા૨ ક૨તા રહેવું જોઈએ. એ જો ન કરાય, તો એના સંસ્કાર દૃઢ ન થયા હોય, પછી અવસરે યાદ ક્યાંથી આવે ? ૯૧ (૨) ‘અવસરે યાદ નહિ' નું બીજું કારણ એ, કે જ્યારે સાંભળ્યું અને સમજ્યા ત્યારે એ સમજને હાડોહાડ ન લગાડી. યુક્તિસર કહેવાયું હોય, જીવંત દૃષ્ટાન્તો અપાયા હોય, સર્વજ્ઞવચનની સાક્ષી સારી રીતે અપાઈ હોય, એટલે મનમાં તો બેસી જાય, મન કબૂલ કરે કે વાત બરાબર છે. પરંતુ હૈયે હાડોહાડ ન લાગી જાય તો અવસર પર એ ભુલાય એમાં નવાઈ નથી. ત્યારે જો હાડોહાડ લગાડી દીધું હોય તો તો પછી હૃદય એની અસરથી બહુ વ્યાપ્ત હોય, એટલે અવસરે એ ઉપયોગી થાય અને આર્તધ્યાન અટકાવે. બાકી, ઘણાં વ્યાખ્યાન સાંભળ્યા એળે જેવા ગયા કેમ લાગે છે ? સાંભળેલું હાડોહાડ ન લગાડતા ગયા એ કારણે વ્યાખ્યાન એળે ગયા જેવું લાગે છે. વ્યવહારમાં કોઈએ બહુ શબ્દોમાં ઠપકો આપ્યો હોય અને જો એ પગથી માથા સુધી ઝાળ ચડે એવો હાડોહાડ લાગી ગયો હોય છે ને, તો કેટલા ય દિવસ, મહિના અને કદાચ વર્ષો સુધી યાદ રહે છે. તો અહીં પણ આત્માને એના દોષ માટે અપાયેલ હિતશિક્ષા કેમ યાદ ન રહે ? એને હાડોહાડ લગાડવી જોઈએ. માત્ર ઠપકો જ નહિ, કિન્તુ તત્ત્વવાણી પણ હાડોહાડ લગાડી શકાય. પૂછો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy