________________
૯૨ ધ્યાન અને જીવન
પ્ર. ખાલી હકીકતની વાત હોય, દા.ત. ‘જગતમાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય છે', એવી વસ્તુમાં હાડોહાડ લગાડવાનું શું ?
ઉ. - એવું પણ આ રીતે હાડોહાડ લાગે કે ‘અહો ! પ્રભુએ આવાં મહાન વિશ્વવ્યાપી ષદ્ભવ્યો, એમાં અનંતા પુદ્ગલ અને અનંતા જીવ બતાવ્યા છે. તો પછી હું કૂપમંડૂકની જેમ નજરે દેખાતા ટૂંકા અલ્પ પદાર્થોમાં કેમ અટવાઈ ગયો છું ?' એમ ચોંકામણ થાય ! ત્યાં એ હાડોહાડ લાગે. પછી એની ભાવના એટલે કે વારંવાર ચિંતન સહેજે થયા કરે, કે તેથી અવસરે રોગ આપત્તિ આવી એ પર પણ એ ચિંતન આવીને ઊભું રહે અને આર્તધ્યાનથી બચાય.
મનને એમ થાય કે ‘આત્મા પર ચોંટેલા અનંતા કર્મસ્કંધોના તો કેવા કેવા ય વિપાક છે ! એમાં આ વિપાક શી વિસાતમાં છે ?' અથવા,
છ દ્રવ્ય પૈકી આકાશ દ્રવ્યના અધોલોકના ભાગમાં તો નરકના જીવો મારી પીડા કરતાં કાપણ-કુટણ-છેદન-ભેદન વગેરેની અનંતગુણી પીડા જીવો વેઠી રહ્યા છે ! એની સામે આ વેદના શી વિસાતમાં છે ?' અથવા
‘છ દ્રવ્યમાંનું આત્મદ્રવ્ય શુદ્ધ સ્વરૂપે તો અરૂપી અમૂર્ત રોગરહિત નિર્વિકાર છે. પણ વર્તમાન રોગ દેખાય છે એ તો કર્મોદયની ઉપાધિના લીધે છે. સ્ફટિકની પાછળ લાલ કપડાની ઉપાધિ હોય ત્યાં સુધી સ્ફટિક લાલ દેખાય, ઉપાધિ ખસી જતાં કાંઈ નહિ. એમ કર્યોદય હોય ત્યાં સુધી રોગ, એ પતી ગયે રોગ નહિ. આત્માના શુદ્ધ સ્વરૂપમાં કોઈ હાનિ નહિ માટે આકુળ વ્યાકુળ થવાનું શું કામ ? સમજી જ રાખવાનું કે ‘કર્મ અને કાયા એ છ દ્રવ્યમાંનું એક સ્વતંત્ર પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્યની પણ ગજબનાક શક્તિ છે. જીવને એ વળગ્યું છે એટલે એ એનું કામ કરે જ. તો રોગથી રોવું શું ?'
પરદેશી તત્ત્વ ઘુસે ત્યાં ઉથલપાથલ થાય જ. એટલે ખરી રીતે આ કર્મ અને કાયા રૂપ પરદેશી તત્ત્વથી જ સાવધાન બનવા જેવું છે, એને જ હટાવવા જેવા છે. કદાચ યેન કેન અનુચિત પ્રકારે રોગ હટાવ્યા, પણ નવાં કર્મ-પુદ્ગલ આત્મામાં ઘુસાડ્યા, તો દુઃખનો ને રોગનો કાયમી અંત ક્યાં છે ?
શું પરદેશી તત્ત્વના પ્રવેશ અને સંબંધ ઊભા રાખી સુખી થવું છે ? એમ દુઃખ-પીડા નથી જોઈતી ? ન બની શકે.
માટે એ પરદેશી માલરૂપ કર્મને જ હટાવવાની સતત પેરવીમાં રહું. શાંતિથી રોગ સહી લેવો, એ પણ પરદેશી તત્ત્વરૂપ કર્મને હટાવવાનો એક રસ્તો છે. રોગમાં તો પાપકર્મના કચરા સાફ થાય છે. ત્યાં નારાજી શી ? ત્યાં વ્યાકુળતા શી ?
તત્ત્વની હકીકત પર પણ આવી આવી ભાવના બહુ કર્યા કરાતી રહે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org