SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૯૩ અવસર પર એ જરૂર ઉપયોગી થાય, રોગ-વેદનાનાં અને બીજાં આર્તધ્યાનને અટકાવે. જો એ ભાવનાનો અભ્યાસ નથી, તો સહેજે ભૂતકાળની વેદના પરના વલોપાત યાદ આવવાના. એના રીઢ સંસ્કારો આર્તધ્યાન કરાવશે. એટલે કહો, વર્તમાન તો શું, પણ ભૂતકાળ અને ભવિષ્યકાળ અંગેનાં પણ આર્તધ્યાન જીવને પજવે છે. ‘રોગ કેમ જાય, પૂર્વે ગયો તે સારું થયું, ભવિષ્યમાં ન આવે તો સારું' વગેરે ચાલ્યા કરવાનું બને છે, જો તત્ત્વની ભાવનાનો ખૂબ અભ્યાસ નથી રાખ્યો, ને તત્ત્વસમજનો સદુપયોગ નથી કર્યો. એનો ડગલે ને પગલે સારો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. તત્ત્વની સમજનો પહેલો સદુપયોગ આ, કે આત્મામાં અજ્ઞાનવશ જે અશુભ ભાવો જાગ્યા કરે છે, એને એ તત્ત્વ સમજથી અટકાવતા જઈએ અને એને સારા ભાવમાં ફેરવતા જઈએ. જીવની અનાદિથી આવી કંગાળ જ દશા ચાલતી આવી છે કે સારું મળે, કે નરસું ટળે, યા સારું ખોવાય, કે નરસું આવે, ત્યાં દિલના ભાવ ખરાબ કરવા જોઈએ છે, ધ્યાન બગાડવા જોઈએ છે. એમ કોઈ પણ રોગ આવે તો ય એ ભાવ બગાડવાની દશા છે. પાછી સ્થિતિ તો એ નજરે દેખાય છે કે અંતે તો મરી ખૂટવાનું છે, ત્યાં પછી ભાવ કેવા ? મૃત્યુનો સમય જ એવી ચીજ છે કે જ્યાં ભલભલાના ગાત્ર ઢીલાઢચ ! ભારે ભયંકર ખરાબ ભાવો પૂર્વે વારંવાર કર્યા હોય, આગ્રહથી એને છોડ્યા ન હોય, પછી મોત આવીને ઊભું રહેતાં એ અશુભ ભાવની કુટેવ મિટાવી શકતો નથી. તો પછી શું કામ જીવન જીવતાં એવાં ઉગ્ર કષાય ને એવા ભયંકર ભાવની લત રાખવી ? મૃત્યુ વખતે કરુણ અંતનું પ્રત્યક્ષ દેષ્ટાન્ત : એક શહેરમાં એક સુખી માણસને અભિમાન એટલું બધું કે એ દીક્ષા અને સાધુઓની નિંદા ખૂબ કરે. દીક્ષાઓ થાય એ એનાથી જરાય સહન જ ન થાય. દુકાનપેઢી પ્રતિષ્ઠાવાળી, ઘરે ઘોડાગાડી, ઘોડો એવો અરબી ઘોડા જેવો કે લગામથી સહેજ ઈસારો થતાં ભરબજારના રસ્તે પવનની ઝડપે દોડે. ભાઈ ગાડીમાં બેસી નીકળે, શોખથી પોતે જ હાંકે, ત્યારે એની મુદ્રા જોઈ હોય તો અભિમાનનું પૂતળું દેખાય. એના મનને થતું હશે કે ‘મારા ઘોડા જેવો ઘોડો કોની પાસે છે ? મારા જેવું પઢું શરીર કોનું છે ?' આવા ને આવા અભિમાનમાં એ બીજાની આગળ ચારિત્રદીક્ષાની અને મુનિઓની નિન્દા ભયંકર શબ્દોમાં કર્યે જાય. આની પાછળ દિલમાં કેટલા ભયંકર અશુભ ભાવ અને દુર્ધ્યાન ચાલ્યા કરતા હશે એ વિચારો. પરંતુ એકવાર પાપના નતીજા રૂપે બન્યું એવું કે એણે મોટા છોકરાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy