________________
૯૪ ધ્યાન અને જીવન
લગ્ન લીધું અને આખી નાતને જમવા નોતરાં ફેરવ્યાં. જમણનો દિવસ આવ્યો, સવારે ઊઠીને નાસ્તાપાણી, નહાવા-ધોવા વગેરેનું કામ પતાવ્યું. ત્યાં સુધી પા જેવા એના શરીરમાં નખમાં ય કોઈ રોગ ન દેખાય. પરંતુ એકાએક શું થયું કે હવે જ્યાં એને નાત-જમણની વાડીએ જવાની તૈયારી છે, ત્યાં જ બ્લડપ્રેશર વધી ગયું. કહો કે એના અહીંના તીવ્ર પાપના ઉદયે શરીરમાં ગમે તે વિક્રિડાય ઊભી થઈ, તે માથામાંની નસ તૂટી, જીભ ખેંચાવા લાગી, ભાઈને પીડાનું ને બીજું કેટલું ય કહેવું હશે તે બોલવા ગયા, પણ બોલી શું શકે ? ઓ... ઓ... ઓ...' સિવાય બીજો અક્ષર જ ન કાઢી શક્યા. કારણ કે જીભ અંદર ખેંચાતી હતી. ડાક્ટર આવીને ય શું કરે ? શાસ્ત્ર કહે છે અતિ ઉગ્ર પુણ્ય કે પાપનાં ફળ અહીં મળે છે.'
તીવ્ર અશુભનો ઉદય ઊભો થઈ ગયો હોય પછી ડાક્ટરે ય મરતા દેહમાં જીવ ક્યાંથી ઘાલી શકે ?
બિચારો ત્રણ દિવસ ‘ઓ ઓ...' કરતો રહ્યો. દિલનું કશું કોઈને કહી શક્યો નહિ, સગી બાઈડીને ય નહિ ! ને સગા છોકરાને ય નહિ ! ત્યારે કહો, પૂર્વે કરેલા ભારે અભિમાન અને ધર્મનિંદા-ગુરુનિંદાની પાછળના હૈયામાં રમતા ઉગ્ર અશુભ ભાવ એ અહીં હવે આ મોતની ભારે પરાધીન દશામાં શે ટકાવી શકે ? અશુભના ઉદયે ઢીલીઢચ દશા કરી મૂકી. પણ આ વિષમ સંસારની દશા એવી કે એક ખરાબ અશુભ ભાવ મૂકવો પડ્યો તો બીજો અશુભ ભાવ તૈયાર જ છે. એને બિચારાને ત્રણ ત્રણ દિવસની ઘોર પીડામાં શરીરની મૂર્છા, જીવવાની મમતા, કુટુંબની મૂર્છા વગેરે મૂર્છા-ડાકણોનાં ટોળાએ એવો ઘેરી લીધો એવો, કે એ બધી મમતાના અંગે હાયવોયનો પાર નહિ ! ને આંતર ક્લેશનો પાર નહિ ! પેલા નિંદા-અભિમાનના ખરાબ ભાવ મૂકાયા, તો આ અશુભ ભાવ અશુભ ધ્યાન મગજ પર ચડી બેઠા ! કરુણ હાલતે એ મર્યો.
બોલો, જીવન જીવતાં રાચીમાચીને સેવેલા એ અભિમાન ધર્મદ્વેષ અને ધર્મનિંદાના મહા મલિન અશુભ ભાવોનું શું ઊપજ્યું ? ક્યાં ગયા એ રોફ મ૨ણ વખતે ? તો પછી જીવન જીવતાં રાત-દિવસ એવા અશુભ ભાવ કર્યો જવામાં ને ચિત્તને ભારે બગાડવામાં જીવની કેવી પાગલતા ગણાય ? શું શુભ ભાવનો ખોરાક નથી મળતો તે અશુભ ભાવનાં ઝેર ખાવાં ?
Jain Education International
* * *
For Private & Personal Use Only
www.jainelibrary.org