________________
૧૫. તામસભાવનાં તાંડવ : સાધનામાં હોંશ-જોશ-પરિણતિ.
કg
અશુભ ભાવો તામસભાવમાંથી જન્મે છે. શુભ ભાવો સાત્ત્વિક ભાવમાંથી જાગે છે. તામસભાવમાં ન રમવું હોય તો જરાક પણ અશુભ ભાવ કરવા જેવો નહિ. એક મુનિનો જરાક અશુભ ભાવ :
એક મુનિ કાઉસગ્ગ કરતા હતા. કાઉસ્સગ્ગ કેટલો ? “ઈરિયાવહિયં” નો એક લોગસ્સમાત્રનો, એટલે કે સવા છ શ્લોક માત્રનો. પરંતુ મુનિ એવા ઊંચા શુભ ભાવ અને પ્રબળ શુભ ધ્યાનમાં ચડ્યા કે ત્યાં એમનાં અવધિજ્ઞાનાવરણ કર્મ તૂટ્યાં ! ને એમને અવધિજ્ઞાન પ્રગટ થયું, ઊંચે પહેલા દેવલોક સુધીનું પ્રત્યક્ષ દેખાડે એવું !
ધ્યાનમાં આ તાકાત છે કે અશુભ જ્ઞાનાવરણાદિ કર્મોને તોડે.
શુભ ધ્યાનનું આ મહત્ત્વ જીવ સમજતો નથી એટલે સાવ સસ્તુ અને સહેલું છતાં શુભ ધ્યાન ચાલુ ચલાવ્યે રાખવાનું તો શું, પરંતુ ક્યારેક ક્યારેક પણ એ કરતાં આવડતું નથી ! મુનિને માત્ર કાયોત્સર્ગમાં જ શુભ ધ્યાનમાં અવધિજ્ઞાન પ્રગટ થયું છે. હજી પોતે કાઉસ્સગ્નમાં જ છે, ને અવધિજ્ઞાનથી બહુ ઊંચે અસંખ્ય યોજન દૂર વૈમાનિકનો પહેલો દેવલોક દેખાયો ! ‘ત્યાં ઈન્દ્ર શું કરે છે? એ જોવાની જિજ્ઞાસા થતાં જ ખૂણામાં ઈન્દ્ર ઈન્દ્રાણીને મનાવતો દેખાયો. ખોટી જિજ્ઞાસા ય ભુંડી ! એ મુનિને એવી જિજ્ઞાસામાં અવધિજ્ઞાનથી જે આ દેખાયું એના પર એમને હસવું આવ્યું કે “હે હે હે... આવો અસંખ્ય દેવોનો માલિક પણ આ ઈદ્ર સ્ત્રીને મનાવવા બેઠો છે? આટલો ગુલામ ?' હાસ્યનો કરુણ અંતઃ તામસભાવનાં પોષણઃ
જુઓ, આ હાસ્ય, મજાક, મશ્કરી વગેરે એ અશુભ ભાવ છે અને એનો દયાપાત્ર કરુણ ફેજ કેવો ! કે ત્યાં જ અવધિજ્ઞાનનાં આવરણ કર્મ પાછા ઉદયમાં આવી ગયા ! અને અવધિજ્ઞાન ડુલ ! ઊડી ગયું ! હવે અંધારું ધબ ! કશું ઉપર દેખાતું નથી. ત્યારે કહો જોઉં, આવો અશુભ ભાવ કરવામાં મૂર્ખતા નહિ ? મૂઢતા નહિ ? સહેજ હાસ્યમાં કેવા પડ્યા ? કેટલું ગુમાવ્યું ? હવે એ હાસ્યમાં હૈયું જે તુચ્છ તામસ ભાવવાળું બન્યું એમાં ગમે તેવા શુભ ભાવ લાવવા જાય, શુભ ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org