________________
મ ધ્યાન અને જીવન | કરવા જાય, પરંતુ એમાં એવો પ્રબળ પાવર ક્યાંથી આવે ? કોઈકવારના પણ એવા અશુભ ભાવથી આ ખરાબી ઊભી થાય છે કે હૈયું શુદ્ર તુચ્છ બની જાય છે, ને ત્યાં પ્રબળ શુભ ભાવ ને શુભ ધ્યાનને જાગવા અવકાશ જ રહેતો નથી. માટે જ સાવધાન ! હાસ્યાદિ અશુભ ભાવ લાવતાં ખૂબ વિચાર કરવા જેવો છે. આપણે માનીએ કે
પ્ર. - જરા હસ્યા, જરા મશ્કરી કરી, જરાક કોઈનું ઘસાતું બોલ્યા, એમાં શું થઈ ગયું?
ઉ. - પરંતુ એમાં થઈ ગયું છે, કે
આપણા દિલમાં શુદ્રતા-તુચ્છતા-તામસભાવ લાવ્યા. એ વિના હાસ્યાદિ ઊભાં થતા નથી.
પણ તમને જરાક હસ્યા એટલે તામસભાવ કર્યો એવું લાગે છે જ ક્યાં ? નહિતર એવા તુચ્છ ભાવ વારે વારે શાના થાય ? મુનિને હસવામાં અવધિજ્ઞાન કેમ ગયું ? હાસ્યાદિના મૂળમાં ક્ષુદ્રતાદિને પોષ્યા માટે. એ મહાન નુકસાન ઊભું કર્યું. ત્યારે સમજતા નહિ કે “હાસ્યાદિ એ સાત્ત્વિક ભાવમાંથી ઊભા થાય છે.” ભલે ને મુનિ પોતે ગુણિયલ હતા, પહેલાં મોહમુક્ત હતા, પણ પછી ઈદ્રની મોહમૂઢ દશા જોતાં મોહયુક્ત બની એના પર હસ્યા, એમાં સામાના દોષ પર એના પ્રત્યે તિરસ્કારનો, દુર્ભાવનો, હાંસીનો ભાવ આવ્યો એ તામસભાવના ઘરનો છે. સાત્ત્વિક ભાવના ઘરના ભાવ તો તે, કે જે
(૧) સામા પર ભરપૂર દયા ઊભરાય, (૨) મોહની ભયાનકતાની પોતાને ભડક લાગે...
(૩) આત્મા-કર્મ-સંસાર વગેરે ભાવોને યથાસ્થિત કહેનાર જિનવચન પર ઓવારી જવાય,
(૪) મનને એમ થાય કે “પ્રભુ ! તારી તારા શાસનની કેવી બલિહારી કે આવા સનેપાતના સકંજામાંથી મને બચાવ્યો...'
પેલા મુનિને આમાંનું કશું ક્યાં થએલું ? એમને તો ઈન્દ્ર પર “અરે રે ! બિચારો મોહથી કચડાઈ રહ્યો છે !” આવી દયા આવવાના બદલે “હું ? આવું કરે છે ? પાગલ !' એમ તિરસ્કારભાવ આવ્યો, હાંસી દુર્ગછા થઈ. ત્યાં સાત્ત્વિક ભાવ ફૂલ ! ને તામસભાવ ઝગમગતો ! એટલે પછી અવધિજ્ઞાન જાય એમાં નવાઈ શી?
ધ્યાન અને જીવન” નો વિષય સમજવામાં આ ખાસ ખ્યાલમાં રાખી લેવા જેવું છે કે “અશુભ ધ્યાન ઢગલો કરવા જોઈએ છે, પણ એના પર જીવનમાં મહા ખરાબીઓ ઊભી થાય છે ! અને એ અશુભ ધ્યાન તીવ્ર રાગ-દ્વેષ પર તો શું, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org