________________
ધ્યાન અને જીવન
મામુલી ગણાતા હાસ્યાદિ દોષો પર પણ નભે છે, કેમકે ત્યાં તામસભાવ પોષાય છે. પછી એના પર દુર્ધ્યાન આવવું ક્યાં મોંઘું છે ?
અસદ્ નિમિત્તોથી જે દૂર, એ તામસભાવથી બચે :
એટલા જ માટે આ પણ લક્ષમાં રાખવાનું કે તામસભાવને પોષનારાં નિમિત્તો જેટલાં ઓછાં સેવો એટલું બચાય. પેલા મુનિ દેવલોક દેખાયો તો એના જિનમંદિર જોવાની જિજ્ઞાસા કરવાને બદલે ઈન્દ્ર શું કરે છે એ જોવાની જિજ્ઞાસા કરવા ગયા, એટલે આ અસ ્ નિમિત્તને સેવ્યું, તો હાસ્યના તામસભાવમાં પડ્યા અને અવધિજ્ઞાન જેવી મહાન સંપત્તિ પળવારમાં ગુમાવી. જિનમંદિરની જિજ્ઞાસા કરી હોત તો એ જોતાં જ્ઞાનની વિશેષ નિર્મળતા થાત.
બધે જ અસદ્ નિમિત્તોથી દૂર રહેવા જેવું યા જેટલા બચાય એટલું બચવા જેવું છે. અરે ! જમવા બેસો ત્યાં ય જો મળે એટલી ચીજો ખાવાની ખુલ્લી રાખી તો તામસભાવમાં તણાઈ જતાં વાર નહિ લાગે. માટે તો ‘દ્રવ્ય-સંક્ષેપ' એટલે ‘વૃત્તિ-સંક્ષેપ' કે ખાવાની ચીજોની વૃત્તિનું ચોક્કસ માપ અને ‘રસત્યાગ' અર્થાત્ વિગઈઓ આદિનો ત્યાગ, એને તપ ધર્મ કહ્યો. શું કરે એ ? માપની ઉપરની વસ્તુ અંગેનો રાગાદિ તામસભાવ રોકે.
૯૭
નાના બાળનું સત્ત્વ :
અમે મુંબઈમાં હતા, ત્યાં એક ભાઈ પોતાના નાના આઠ વરસના પુત્રને લઈને દર્શનાર્થે આવ્યા. એ છોકરો વંદન કરી અમને ચિઠ્ઠી આપે છે. શાની ચિઠ્ઠી ? બાધાઓ લેવાની આઈટેમો લખેલી. એમાં લખી લાવ્યો હતો કે ‘ચોરી ન કરવી, પિક્ચર ન જોવા, એક ભાણે સાતથી વધુ ચીજ ન ખાવી...' હું તો જરા આશ્ચર્યમાં પડ્યો કે ‘આવો નાનો બાળ, ને આ નિયમો ?'
એ કહે છે, ‘બાધા આપો.’
મેં એના પિતાની સામે જોયું, પિતા કહે છે, ‘હા સાહેબ ! આપો બાધાઓ, એ પાળશે.'
બોલો આ શું કર્યું એણે ? સુખી ઘરનો હતો હોં, એકનો એક. મા-બાપ Full fecilities (પૂરી સુખસગવડો)થી રહેનારા ! છતાં પુત્ર કહે છે ‘આ બાધાઓ આપો... સાતથી વધુ ચીજ એક ભાણે ન ખાવી, સિનેમા ન જોવા...' સમજીને નક્કી કરી લાવ્યો હતો. કેટલું સત્ત્વ !
આઠ વરસનામાં આટલું સત્ત્વ, તો અઢાર વરસનામાં કેટલું ? માંડો ત્રિરાશિ. તમે તો અઢાર-વીસ-ઓગણીસ વરસના છો ને ? રતિ-અતિના તામસભાવ તથા દુર્ધ્યાન વગેરેનાં નિમિત્તો બંધ કરવાનું કેટલું સત્ત્વ છે ?
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org