________________
ન ધ્યાન અને જીવન – ત્યારે ત્યાં શેઠને આર્તધ્યાન નથી કે, “આ તહોમત કેમ ટળે?” જાતવડાઈને મહત્ત્વ નથી આપતા, એટલે એ ખુલાસો કરતા નથી, મૌન છે. એ તો અહિંસાદિ આત્મગુણને મહત્ત્વ આપે છે. એમના મનમાં હવે એમ છે કે, “મારું શીલ તો સચવાઈ ગયું, પરંતુ હવે અહિંસાનો અવસર છે. અહીં જો સાચી હકીકતમાં રાણીનો પ્રપંચ કહી દઉં તો ન્યાયી રાજા એને ભયંકર સજા કરે ત્યારે મારે એવું રાણીના દુઃખમાં નિમિત્ત શા માટે થવું ? હવે અહિંસાનો મર્મ બરાબર સાચવી લઉં.” અહિંસાનો મર્મ આ, કે જાતે તો બીજાની હિંસા ન કરવી, કિન્તુ બીજાની હિંસા થાય એવું જાતે નિમિત્ત પણ નહિ આપવું. - સુદર્શન શેઠની કેટલી ઊંચી વિચારધારા છે ! શીલ સાચવ્યા ઉપર અહિંસાવ્રતને પણ અજવાળવું છે. આ શી રીતે બન્યું? કહો, “અનિષ્ટ આક્ષેપ કેમ ટળે” એવું આર્તધ્યાન નહોતું. એનું કારણ,
એમણે દુનિયાની જડવડાઈને મહત્ત્વ નહિ આપ્યું, પણ અહિંસાને-આત્મગુણને મહત્ત્વ આપ્યું. જડને મહત્ત્વ દેવામાં આર્તધ્યાન કેમ? :
જડને મહત્ત્વ આપવામાં ડગલે ને પગલે આર્તધ્યાન વહોરવું પડે છે. એનું કારણ કે પુયાઈ એટલી બધી કાંઈ ઉત્કૃષ્ટ મળી નથી કે જેથી બધું અનુકુળ અને ઉત્કૃષ્ટ જ બની આવે, એટલે પુણ્યાઈની કચાશે કેટલું ય અણગમતું બની આવે છે. હવે અનુકૂળ જડને મહત્ત્વ આપ્યું છે, એનો આગ્રહ રાખ્યો છે, એટલે સહજ છે કે પેલી અણગમતી વસ્તુ કેમ ટળે, કેમ ટળે' એવી એના પર ચોંટ રહેવાની. આત્માને મહત્ત્વ દેવામાં :
ત્યારે જો મહત્ત્વ આત્મિક વસ્તુને અપાય. તેમ મનને જે આત્મિક નુકસાન બહુ ગભરાવતું હોય અને આત્મિક લાભ બહુ લલચાવતું હોય, તો મન જડ ઈષ્ટ-અનિષ્ટ આવ્યા-ગયાની બહુ કિંમત નહિ કે.
કહે છે ને કે નરસિંહ મહેતા ક્યાંક ભજન કરતા હતા અને કોઈકે આવીને એમને કહ્યું, “મહેતા ! તમારી પત્ની મરી ગઈ ત્યારે મહેતો નારાજ થવાને બદલે કહે છે, “સુખે ભજશું શ્રીગોપાલ.” કેમ એમ ? શું પત્ની અનુકૂળ નહોતી ? ના, ખાસી અનુકૂળ સેવાકારી હતી. પરંતુ મહેતાને મન મહત્ત્વ કૃષ્ણ ભજનનું હતું, પત્નીનું નહિ. મંત્રી તેટલીપુત્ર અને પોઢિલા :
જ્ઞાતાધ્યયન' આગમમાં મંત્રી તેતલીપુત્ર અને એની ખાસ ચાહીને પરણેલી પત્ની પોટિલાનો પ્રસંગ આવે છે. અન્યોન્યને બહુ પ્રેમ છે. પરંતુ એકવાર પોલિાને એમ લાગી ગયું કે “હવે પતિ મને બરાબર બોલાવતા નથી. મારા પરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org