SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ -વન ધ્યાન અને જીવન | એમનો પ્રેમ ઊઠી ગયો છે. એટલે એ પડી આર્તધ્યાનમાં કે “એ કેમ મને પહેલાંની જેમ બોલાવે - ચલાવે ! ને મારા પર પૂર્વવત પ્રેમ ઉભરાવે !” એણે બાહ્ય ટાયલા-પ્રેમને મહત્ત્વ આપ્યું તેથી એ હવે પતિ તરફથી ન મળવાનું દેખાતાં પડી એ આર્તધ્યાનમાં. આ આર્તધ્યાન પર પતિને વશ કરવાના ઉપાયો શોધે છે, પણ વળતું કાંઈ નથી, ને મનને આર્તધ્યાન સતાવ્યા કરે છે. એમાં એક્વાર સાધ્વીજી મળ્યા. એમને પોતાની કરુણ કથની કહે છે ને ઉપાય માગે છે. ત્યારે સાધ્વીજી એને કહે છે, દુઃખી પોટ્ટિલાને સાધ્વીજીનો ઉપદેશઃ ભલી રે બાઈ ! તું તારા દુઃખનું ખરું કારણ જ નથી સમજતી, તેથી દુઃખી થાય છે અને ખોટા ફાંફા મારે છે. તે પતિ નથી બોલાવતા એટલે દુઃખી નથી, કિન્તુ તું જડ વિષયોને મહત્ત્વ આપે છે, તેમ તારા દિલમાં કામવાસના સળગી રહી છે માટે દુઃખી છે. જો તને કામવાસના ન હોત અને જડ વિષયોને મહત્ત્વ જ ન આપતી હોત, તો પછી પતિ તરફથી મોહના લાડની અપેક્ષા જ ન રાખત. પછી એ બોલાવે ન બોલાવે એ શું કામ જોવત? જીવન જીવવાની બધી અનુકૂળતા તો તને એમના તરફથી મળી જ રહે છે. પછી માત્ર આટલા ખાતર દુઃખી થાય છે ? ધ્યાન રાખજે કે જીવ જડનાં મૂલ્યાંકન અને કામવાસનાથી અનંતા ભવ ભટક્યો છે અને જો અહીં પણ એને પોષ્યા કરીશ તો એ જડમહત્ત્વ અને વાસનાનો ચૂરો કરવાના આ સોનેરી માનવભવને બરબાદ કરી ફેર ભવમાં ભટકવાનું લાંબુ ચાલશે. માટે ડાહી થઈ વાસનાને મૂકી દે. વિષયોને સેવવાથી કે એને યાદ કર્યા કરવાથી તો એની વાસના પુષ્ટ થશે અને એ જ પોષાઈ પુષ્ટ બનેલી આગામી દીર્ઘ કાળ ત્રાસ, સંતાપ અને વિટંબણા આપશે. માટે જડવિષયોને મહત્ત્વ જ ન આપ. જેથી એની વાસના કૂદે નહિ.” પોટ્ટિલા સમજી : સાધ્વીજીની આ વાત પોલિાના ગળે ઊતરી ગઈ. એને લાગી ગયું કે “હું ખરેખર દુઃખી પતિના નહિ બોલાવવાના લીધે નથી, પણ હું વિષયોને અને બાહ્ય ટાયેલા પ્રેમને મહત્ત્વ આપી રહી છું, તથા એની વાસનાથી જકડાઈ છું, તેથી દુઃખ એ વિષયવાસનાના હિસાબે જ છે અને તે પણ ભવિષ્યમાં ય દુઃખને જ નોતરું છું. તો મૂક એને.' - સાધ્વીજીનો ઉપકાર માની પૂછે છે, “ભગવતી ! આપનું કહેવું યથાર્થ છે. આપે મારી આંતરચક્ષુ ખોલી નાખી મને સાચું દર્શન કરાવ્યું, આત્મા ક્યાં ભૂલે છે એનું સચોટ ભાન કરાવ્યું. તો હવે મારે શું કરવું? હવે હું આ ખોટા પ્રેમની ભૂખ મૂકી દઉં છું. હવે કર્તવ્ય બતાવો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy