________________
ધ્યાન અને જીવન
ભૂતકાળ સંબંધી આર્તધ્યાન ઃ
જુઓ, આર્તધ્યાનમાં ત્રણે કાળનો સમાવેશ છે. એટલે ભૂતકાળમાં આવેલા કોઈ અણગમતા વિષયને લઈને પણ એમ થાય કે પેલું સાધન બહુ ખરાબ આવેલું. એણે કેટલી બધી હેરાનગતિ આપેલી ? ઠીક થયું કે એ ટળ્યું !' મન જો આમ એકાગ્ર વિચારમાં સ્થિર થયું તો એ અનિષ્ટ-વિયોગાનુબંધી આર્તધ્યાન થયું. (૨) ભવિષ્ય સંબંધી આર્તધ્યાન ઃ
૭૯
એવી રીતે ભવિષ્ય માટે પણ એવો વિચાર આવે કે ‘આ સંભવ દેખાય છે કે આગળ ઉપર આવું અનિષ્ટ આવવાનું. તો તો ‘પછી એ કેમ ટળશે ?' એ વિચારમાં મન ક્ષણવાર પણ ચોંટી જાય, તો ય એ અનિષ્ટ-વિયોગનું આર્તધ્યાન છે.
એમ ભૂતકાળ સંબંધમાં એવો તન્મય વિચાર આવે કે એ વખતે આપણને એ આપત્તિ એ અનિષ્ટ આવવાનો સંભવ હતો, પરંતુ ઠીક થયું એ આપત્તિ આવી જ નહિ, અનિષ્ટ આવ્યું જ નહિ', તો મનનું આ અતીત કાળ અંગે પ્રણિધાન અનિષ્ટ-સંયોગનું આર્તધ્યાન છે.
એવી રીતે ભવિષ્ય માટે થાય કે ‘આગળ પર આવી આવી અનિષ્ટ-આપદા આવવાનો સંભવ છે, પરંતુ આપણી પાસે એવા સંયોગો છે, સાધન-સગવડ છે કે આપણને એ નડશે નહિ', તો આ ભવિષ્ય અંગેનો એકાગ્ર વિચાર પણ અનિષ્ટ સંયોગનું આર્તધ્યાન છે.
(૩) વર્તમાન અંગે આર્તધ્યાન :
ત્યારે વર્તમાન અનિષ્ટ અંગે તો કહ્યું જ છે કે જો મન એવા એકાગ્ર ચિંતનમાં પડે કે ‘આ કેમ ટળે ?' યા ‘આ ટળ્યું તો ખરું પણ હવે ન આવે તો સારું' અથવા ‘બીજાને આવ્યું પણ આપણને આ અનિષ્ટ નથી આવ્યું તે સારું છે', તો આ વર્તમાન કાળ સંબંધી અનિષ્ટના વિયોગનું કે અસંયોગનું આર્તધ્યાન છે.
કેવાં કેવાં આર્તધ્યાન ચાલુ ? :
વિચારવા જેવું છે કે જીવને અનિષ્ટ કેટકેટલી જાતના છે ? આપદાઓ નાનેથી મોટી કેવી કેવી માનેલી છે ? એ દરેકના ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યકાળ સંબંધનાં આર્તધ્યાન કેવાં કેવાં થાય છે ? દા.ત.
Jain Education International
ખીચડી કે રોટલો ખાવો નથી ગમતો, હવે ભોજનમાં એ જ આવ્યું, એટલે ખાવું તો પડશે જ, પણ જો મન એ આંધીમાં પડ્યું કે ‘આ ક્યાં આવ્યું ? ન આવ્યું હોત તો સારું.' ત્યાં એ અનિષ્ટ અંગેનું આર્તધ્યાન થયું, ખાવાના એવા કેટલાય અણગમતા પદાર્થ હશે, એમ પીવાના, દા.ત. ઉનાળામાં વગર ઠરેલું
For Private & Personal Use Only
www.jainelibrary.org