SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. આર્તધ્યાનના ચાર પ્રકાર ૧. અનિષ્ટ વિયોગ-અસંયોગનું ચિંતનઃ ધ્યાનશતક પ્રકરણમાં ચારે ધ્યાનના દરેકના ચાર-ચાર પ્રકાર બતાવ્યા છે એમાં આર્તધ્યાનના ચાર પ્રકારો આ પ્રમાણે છે, (૧) અનિષ્ટ વિષયના વિયોગનું કે અસંયોગનું ચિંતન. (૨) વેદનાના વિયોગ કે અસંયોગનું ચિંતન. (૩) ઈષ્ટ વિષયોના અવિયોગ કે સંયોગનું ચિંતન. (૪) ઋદ્ધિપ્રાર્થનામય નિદાન. (૧) અનિષ્ટના વિયોગ અસંયોગનું ચિંતન : આ પહેલો પ્રકાર છે. અણગમતા શબ્દ, રૂપ, રસ વગેરે વિષયોના વિયોગનું યા અસંયોગનું ચિંતન. એમાં મન એવું એકતાન થઈ ચિંતવે કે “આ અનિષ્ટ અણગમતો વિષય ટળે તો સારું, ન આવે તો સારું.' દા.ત. ઋતુની ગરમી પડી એ અણગમતી લાગે છે. એના અંગે “આ ક્યારે ઓછી થઈ જાય !” એ મુદ્દા પર મન કેન્દ્રિત થઈ જાય એ આર્તધ્યાન. આ આર્તધ્યાન તે તે વિષય પ્રત્યે અરુચિ યાને દ્વેષથી મલિન હૃદયમાં ઊઠે છે. એ દ્વેષ જ્યાં નથી ત્યાં એવું આર્તધ્યાન ઊઠવાને કારણ નથી, પછી ભલે વિષય અસુંદર હોય. દા.ત. આંબેલ કરનારને લુખ્ખા ભોજન પર દ્વેષ નથી, તો એમ નથી થતું કે “આવું લખ્યું ક્યાં મળ્યું? આ ટળે તો સારું.” આ ઉપરથી ચાવી મળે છે કે “આ આર્તધ્યાન રોકવું હોય તો અનિષ્ટ લાગતા વિષયો પ્રત્યેની દ્રષ અરુચિ કાઢી નાખો.” ત્યારે પહેલી તો એ વાત છે કે દિવસભરમાં કેટલાં અગણ્ય આર્તધ્યાન ચાલે છે એનું માપ કાઢો અને એટલા થોકબંધ આર્તધ્યાનથી કેટકેટલા અશુભ કર્મોના ગંજ આત્મા પર ખડકાય છે, એ વિચારી એનો ભય ઊભો કરો. પછી એને અટકાવવા કે ઓછા કરવાનું મન થશે અને આ ચાવી લગાડાશે. તો બોલો, આવું આર્તધ્યાન ક્યાં ક્યાં થાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy