SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ (૬નું ધ્યાન અને જીવન | આત્મજ્ઞાન કેવું હોય? આત્માનો ખ્યાલ હોત - “જનમ જનમ નવી નવી કાયામાં મારા આત્માને કેદ પૂરાવું પડે છે અને સારાં-બૂરાં કર્મના ફળ ભોગવવા પડે છે, પૂર્વજન્મનાં સ્મરણવાળાઓ એ સાબિત કરી રહ્યા છે. એટલે હું તો એક જનમનો નહિ, પણ જનમ-જનમનો સનાતન શાશ્વત આત્મા છું', આવું જો આત્મભાન હોત, તો મનને એમ થાત કે “તો પછી મારે એક જનમની ચીજો પર ફોગટ રાગ કરવાની શી જરૂર ? આ એક જનમમાં ય કાયમી ન રહેનારી અથવા આ જનમના અંતે તો અવશ્ય વિખરાનારી વસ્તુ ખાતર નાહક રાગદ્વેષ શા માટે કરવા?' એમ રાગદ્વેષને ધક્કો લાગત, તો તેથી દુઃખમાં ઘટાડો થાત પરંતુ આત્માનું જ પહેલે પાયે ભાન નહિ, પછી રાગદ્વેષ રોગરૂપે લાગવાની, વિકાર રૂપ લાગવાની વાત ક્યાં ? શાસ્ત્રથી જાણ્યું તો ખરું કે “આત્મા જેવી સ્વતંત્ર વસ્તુ છે, પરંતુ રાગદ્વેષ જો છૂટથી ને હોંશથી કરવા જોઈએ છે, તો અંતરમાં આત્માનો પ્રકાશ થયો શાનો કહેવાય ? જ્ઞાન આવ્યું શાનું ગણાય? પ્રકાશ યાને જ્ઞાન તે જ વાસ્તવિક ગણાય કે જ્યાં મૂળભૂત રોગરૂપ રાગદ્વેષને ઓછો વત્તો ધક્કો લાગે. એ વિનાનું જ્ઞાન એ પ્રકાશ રૂપ નથી, અંધકાર જ છે, અજ્ઞાનરૂપ છે. માટે જ્ઞાન મેળવવાની સાથે રાગદ્વેષને ધક્કો લગાડવાની જરૂર છે. જેવું જ્ઞાન એવું ધ્યાન, સારું શુભ ધ્યાન એ, કે જેમાં રાગદ્વેષનું જોર ઓછું હોય, બાહ્ય વસ્તુને મહત્ત્વ ન અપાય, એનું આકર્ષણ ન હોય. એ મહત્ત્વ ન આપે તો જ એના નિમિત્તે રાગ-દ્વેષ ઊછળતા રહે નહિ. એટલે ધ્યાનમાં મનનું એક વિષય પર સ્થિર કેન્દ્રીકરણ ખરું, ચોંટ ખરી, પરંતુ સાથે રાગદ્વેષ કાબુમાં જોઈએ, એના પર નિયંત્રણ જરૂરી. એકલું “ૐ અહ નું ધ્યાન અધુરું છે: આ પરથી સમજાશે કે એકલું “ઉૐ” કે “અહં'નું ધ્યાન લઈ બેસે, તેથી કામ ન સીઝે. રાગદ્વેષ પર ઘસારો પડવો જોઈએ અને તે ઘસારો રાગદ્વેષની પ્રતિપક્ષી ભાવનાથી થાય. એ વસ્તુ ધર્મધ્યાનમાં મળી આવે છે. માટે જ, અષ્ટક શાસ્ત્રની ટીકામાં આ જ વસ્તુ સ્પષ્ટ કરી છે. એમાં કહ્યું છે કે ધર્મધ્યાનના એક પ્રકાર “અપાય-વિચય', એમાં રાગદ્વેષના અનર્થનું ચિંતન કરાય છે, એનાથી રાગ-દ્વેષાદિના સંસ્કારો ઘસાતા જાય છે, ત્યારે એકલા “અહીંના ધ્યાનમાં તો એ પૂરું કર્યા પછી સુષુપ્ત રાગાદિના સંસ્કાર જાગતા થઈ જાય છે. “અહ” ના ધ્યાનથી “અહ” ના સંસ્કાર પડે અને અરિહંત પ્રત્યે ભાવ વધે એટલું જ, પરંતુ ઈદ્રિય-વિષયોનો રાગ-આકર્ષણ કેવી રીતે ઘટે ? રાગના સંસ્કાર કેમ ઘટે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy