________________
૭૫
| ધ્યાન અને જીવન પણ સાથે “રાગદ્વેષ ઓછા કરો, રાગદ્વેષ ઓછા કરો'ની બૂમ ક્યાં મરાય છે ? ખરી રીતે પહેલી બૂમ તો આ મારવા જેવી છે જો રાગદ્વેષને થોડો પણ ધક્કો ન લગાડ્યો અને જ્ઞાન ઘણું ય મેળવ્યું, તો એ જ્ઞાન આત્મતારક નહિ બને.
રાગદ્વેષની આંધી ચડી હોય, ત્યાં સુધી સાચો જ્ઞાનપ્રકાશ આવે નહિ. પ્ર. - પણ રાગદ્વેષની ખરાબી સમજવા ય પહેલાં જ્ઞાન તો જોઈએ ને?
ઉ. - જરૂર જોઈએ. પણ એ કહો કે પહેલે પગથિયે જ્ઞાન શાનું જોઈએ ? આત્માનું. પોતાના આત્માનું ભાન થાય પછી જ બીજા તત્ત્વોનું ભાન થાય, ને રાગદ્વેષની ખરાબીઓનો ખ્યાલ આવે. એટલા માટે કહ્યું,
આત્મા જ્ઞાનભવં દુઃખ-માત્મજ્ઞાન હન્યતૈ !' અર્થાત્ દુઃખમાત્ર પોતાનો આત્મા ભુલાયાથી ઊભું થયું છે અને તે નષ્ટ પણ ત્યારે થાય કે જ્યારે આત્મજ્ઞાન થાય, સ્વાત્માનો ખ્યાલ આવે. આનું કારણ એ, કે જ્યાં આત્માનું જ ભાન નહિ, ત્યાં એના રોગ-વિકારોનો પણ ખ્યાલ શાનો હોય ?
રાગદ્વેષ, વિષયલગની, હર્ષ-શોક વગેરે એ આત્માના રોગ છે, વિકાર છે. એનાથી જ પ્રત્યક્ષમાં મન દુઃખી બને છે અને કર્મબંધન વધી વધી ભવિષ્યમાં જીવ દુઃખી થાય છે. ઉંડાણથી તપાસી જોશો તો દેખાશે કે “દુઃખ કેમ આવ્યું ? કે કેમ લાગ્યું ? તો કે મૂળમાં ક્યાંક રાગ કે દ્વેષ હતો તેથી” આ તો સાક્ષાત્ દુઃખવિકારિતાની વાત. ત્યારે ભાવી દુઃખકારિતા તો નજરે દેખાય છે કે રાગદ્વેષના કારણે જ સંસારમાં ભટકતા છીએ.
આમ રાગદ્વેષને લીધે દુઃખ-પીડા-રિબામણ ઊભી થાય છે, તેથી જેમ તાવ વગેરેને લીધે પીડા થાય, તેથી એ રોગ કહેવાય છે, શરીરનો શરીરની ધાતુઓનો એ વિકાર છે, એવી રીતે રાગદ્વેષાદિ એ પીડાકારક હોઈ આત્માના રોગ છે, વિકાર છે. મૂળ ખરેખરા રોગ જ એ રાગાદિ છે.
હવે આત્માનું જ ભાન નહિ, એટલે પછી એના રોગનું વિકારનું ભાન જ ક્યાંથી હોય ? હજી કદાચ દ્વેષ ખરાબ લાગશે, પણ રાગ તો ખરાબ લાગતો જ નથી ! “અમે ન્યાયથી પૈસા કમાયા, પછી એ પૈસા પર પ્રેમ તો રહે જ ને ?” એવું મનને થાય છે. એમ ખાનપાન સગા સ્નેહી પર રાગ રહેવામાં કશું ખોટું કર્યાનું લાગતું નથી. પછી “રાગ એ સૌથી મોટો, સૌધી જલ્લાદ અને સૌથી પહેલો રોગ છે, વિકાર છે', એ લાગવાનું ક્યાંથી બને ? કેમ આમ ? કહો, મૂળમાં આ કાયાની અંદર કેદ પૂરાયેલા પોતાના આત્માનું જ ભાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org