________________
(૭૪માં ધ્યાન અને જીવન (૨) રૌદ્રધ્યાન એટલે રુદ્રતા-ક્રૂરતાથી જનમતું, ક્રૂરતા કઠોરતામાંથી વ્યાપ્ત ધ્યાન. દા.ત. ક્રૂર હૃદયથી કોઈ હિંસા, જુઠ, ચોરી કે ધન આદિનાં સંરક્ષણ પર મનનું લક્ષ ચોંટી જાય એ રોદ્રધ્યાન થયું. આર્તધ્યાન કરતાં આ વધુ ઉગ્ર છે, ભયંકર છે, અતિ તામસી ભાવવાળું છે.
(૩) ધર્મધ્યાન” ને “ધર્મધ્યાન' કહે છે. ધર્મ એટલે ધર્મમાંથી ઉદ્ભવતું. ધર્મ બે પ્રકારે છે - શ્રતધર્મ અને ચારિત્રધર્મ. એમાંથી જે નિર્મળ ધ્યાન જન્મે એ ધર્મધ્યાન ધર્મધ્યાન કહેવાય. દા.ત. જિનાગમ ભણે છે, યાદ કરે છે, એમાંથી એ ધ્યાન જાગ્યું કે “અહો ! કેવી અલૌકિક જિનવાણી ! કેવાં તર્કસિદ્ધ જિનવચન !” તો આ ધર્મધ્યાન થયું. એવી રીતે ચારિત્રનું નિર્મળ પાલન કરે છે, એથી એ ધ્યાન લાગ્યું “આમાં કેટલી બધી સ્વસ્થતા ! ત્યારે અવિરતિમાં રાગદ્વેષની કેવી વિટંબણા, અવસ્થતા !' તો આ ધર્મધ્યાન થયું કહેવાય.
(૪) “શુક્લધ્યાન” માં “શુક્લ' શબ્દનો અર્થ (૧) આઠ પ્રકારના કર્મમળનું શોધન કરે છે, અથવા (૨) શોકને ક્લમે કિલામણા કરે, શોકનો નાશ કરે તે. એવું ધ્યાન એ શુક્લધ્યાન. આ બહુ ઊંચી કોટિનું ધ્યાન છે. એ વીતરાગ સર્વજ્ઞ બનવા પૂર્વે આવે છે. એને આવવાની ભૂમિકા ધર્મધ્યાન ઊભી કરે છે. ધર્મધ્યાનના ખૂબ અભ્યાસથી મનના બાહ્ય વિકલ્પો ઓછા થઈ જાય છે, તેમજ બાહ્યનું આકર્ષણ મહત્ત્વ પણ ઘટી જાય છે. તેથી મનમાં સ્થિરતા વધતી આવે છે. પછી મનોબળથી એક એવી સ્થિરતા ઊભી થાય છે કે જેથી એ કોઈ સૂક્ષ્મ પદાર્થ પર એવું ચોંટી પડે કે ત્યાં પછી “હું ધ્યાતા અને આ ધ્યાન કરૂં છું' એવો ધ્યાતા-ધ્યાનનો ભેદ ભુલાઈ જાય છે. એવી રાગદ્વેષથી મુક્ત લીનતાવાળું ધ્યાન લાગે એ શુક્લધ્યાન.
એટલે એવી સ્થિતિ તરફ પહોંચવા માટે ધર્મધ્યાનનો ખૂબ અભ્યાસ જોઈએ. ધર્મધ્યાન પણ કાંઈ કોરા ચિંતન રૂપ નથી, કિન્તુ સાથે સાથે ઊંચી વિરક્ત દશા છે, બાહ્ય પ્રત્યેની અલિપ્તતા-નિઃસંગતા તરફ ઝોક છે.
મનને બાહ્ય પદાર્થોનું યાવત્ પોતાની કાયાનું આકર્ષણ ઘટે અને કાયાનું ય મહત્ત્વ ન લાગે એ બહુ જરૂરનું છે. કેમકે છેવટે ક્યાં જવું છે ? વીતરાગદશામાં. એટલું સમજી રાખજો કે સર્વજ્ઞતા એ વીતરાગ બન્યા વિના નથી આવતી. સંપૂર્ણ વીતરાગતા આવે પછી જ સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય અને સંપૂર્ણ જ્ઞાન કેવળજ્ઞાન” પ્રગટ થાય. દસમા ગુણસ્થાનકના અંતે વીતરાગ બનાય છે અને પછી જ બારમા ગુણસ્થાનકના છેડે સમસ્ત જ્ઞાનાવરણકર્મ નષ્ટ થતાં કેવળજ્ઞાન આવે છે.
આ સૂચવે છે કે સાચું જ્ઞાન પ્રગટવા માટે ઓછાવત્તા પ્રમાણમાં રાગદ્વેષને ધક્કો લાગવો જોઈએ. “જ્ઞાન મેળવો, જ્ઞાન મેળવો” ની બૂમ મારવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org