SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૭ આના હિસાબે પ્રશ્ન થાય કે ધર્મધ્યાનથી મોક્ષ કેવી રીતે? એનો ઉત્તર એ છે કે ધર્મધ્યાન પરંપરાએ મોક્ષનું કારણ છે, કેમકે એમાંથી શુક્લધ્યાન જન્મે છે અને એથી મોક્ષ થાય છે. આ બહુ ધ્યાનમાં રાખવા લાયક બાબત કહી. તિર્યંચ ગતિમાં લઈ જનાર આર્તધ્યાન છે. નરકમાં લઈ જનાર રૌદ્રધ્યાન છે. સ્વર્ગમાં લઈ જનાર ધર્મધ્યાન છે અને મોક્ષ પમાડનાર શુક્લધ્યાન છે. અહીં એક પ્રશ્ન થાય, પ્ર. - પરલોકનો ભવ આપનાર તો આયુષ્યકર્મ છે. ચાર ગતિમાંની જે ગતિનું આયુષ્ય બંધાયું હોય ત્યાં અવતાર મળે છે. પણ આ આયુષ્ય તો અહીં અમુક અંતર્મુહુર્તમાં એક જ વખતે બંધાય છે, તે સિવાયના જીવનભરના સમયમાં આર્ત-રૌદ્ર ધ્યાન થયા કરે એનું ફળ શું ? ઉ. - તે તે ધ્યાનને તે તે ગતિનાં કારણ કહ્યાં એનો અર્થ ધ્યાનથી માત્ર આયુષ્ય નહિ, કિન્તુ તે તે ગતિને યોગ્ય કર્મો પણ બંધાય. આયુષ્યકર્મ તો ક્યારેક એક જ વાર બંધાય છે, બાકી તો સમયે સમયે જ્ઞાનાવરણ આદિ સાતે કર્મ બંધાવાનું ચાલુ છે. એટલે હવે વિચારવા જેવું છે કે જીવ જો વારંવાર આર્તધ્યાનમાં પડ્યા કરતો હોય તો તિર્યંચ ગતિને યોગ્ય કર્મોના જથા સમયે સમયે કેવા અને કેટકેટલા સંગૃહીત કર્યા કરે? માટે આર્તરોદ્ર ધ્યાનથી બહુ બચવા જેવું છે. ધ્યાન એ તો રોકડિયો સોદો છે. જેનું ધ્યાન કરો એવાં કર્મ તરત ચોંટ્યા જ સમજો. એમાં ક્ષણનો ય ઉધારો નથી. ધ્યાન અને કર્મબંધને સીધો સંબંધ, વચમાં કોઈની દરમિયાનગીરી નહિ. કોઈની અપેક્ષા નહિ. અગ્નિમાં હાથ ઘાલ્યો કે બળે. એમ શુભાશુભ ધ્યાન કરો કે શુભાશુભ કર્મ બંધાય. માટે જ પાપકર્મનો સંચય ન જોઈતો હોય તો આર્ત અને રૌદ્ર ધ્યાન અટકાવવું જ જોઈએ, ઊઠવા જ ન દેવું જોઈએ. ચાર ધ્યાનના અર્થ : “આર્તધ્યાનમાં “આર્ત' શબ્દ છે, એ “ઋત” શબ્દ પરથી બન્યો છે, “ઋત' એટલે દુઃખ દુઃખના નિમિત્તે થતો ક્લિષ્ટ અધ્યવસાય, રાગદ્વેષના સંક્લેશવાળો મનોભાવ, એના પર જનમતું ધ્યાન તે આર્તધ્યાન. મનની રાગદ્વેષની પીડા-અર્તિમાંથી ઉદ્ભવે એ આર્તધ્યાન. દા.ત. કપડાના મેલ પર નજર ગઈ અને આ મેલ ક્યારે જાય ?' એવું એના મન પર ચોંટ્ય, એ આર્તધ્યાન થયું કહેવાય કારણ મનને કેમ ચિંતા થઈ ? મેલ ઉપર દ્વેષનો સંક્લેશ જાગ્યો તેથી. એમ કપડાની ચકચકતી ઊજળામણ માટે થયું “આ ટકે તો સારું, કપડું એવું સાચવું કે મેલું જ ન થાય.” આ ધ્યાન શેમાંથી જાગ્યું ? ઊજળામણના રાગની પીડામાંથી. માટે કહો રાગ કે દ્વેષની પીડામાંથી જનમતું ધ્યાન એ આર્તધ્યાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy