SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ધ્યાન અને જીવન ૫૨ ચોટે, ભલે એક જ ક્ષણ, એ ધ્યાન કહેવાય. મન વધુમાં વધુ એક અંતર્મુહૂર્ત જ એક વિષય પર રહી શકે. મુહુર્તનો હિસાબ આ પ્રમાણે છે ૭ પ્રાણ = સ્તોક । ૭ સ્ટોક લવ | ૭૭ લવ - મુહૂર્ત. એટલે ૩૭૭૭ પ્રાણનું એક મુહુર્ત થાય. એમાં અતિ સૂક્ષ્મ એક સમય ઓછો એ અંતર્મુહુર્ત કાળ કહેવાય. આમ જોઈએ તો બે ઘડી યાને અડતાલીસ મિનિટનું એક મુહુર્ત થાય. એમાં સહેજ ઓછું એ અંતર્મુહુર્ત સુધી જ ચાલી શકે. પછી એ તૂટે જ. એટલે એક સાથે મનની સ્થિરતા એટલી જ, પછી ચલ અવસ્થા થાય. એમાંથી ય પાછી ધ્યાન-અવસ્થા આવી શકે. ત્યાં જો અનુપ્રેક્ષાની ચલ અવસ્થા અતિ અલ્પ સમય આવીને પછી સ્થિર ધ્યાનાવસ્થા શરુ થઈ જાય, એ વળી અંતર્મુહુર્ત રહી પછીથી સહેજ ચલ અવસ્થા બની ફરીથી ધ્યાન ચાલે,... તો આ ધ્યાનધારા કહેવાય. આ તો શુભ ધ્યાનની વાત થઈ. પરંતુ સામાન્યથી ધ્યાન બે પ્રકારે - શુભ અને અશુભ, એ દરેક બબ્બે પ્રકારે, એમ કુલ આ ચાર પ્રકાર (૧) આર્તધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન (ધર્મધ્યાન) (૪) શુક્લધ્યાન આમાં પહેલાં બે અશુભ છે, છેલ્લાં બે શુભ. ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ મોક્ષનાં કારણ છે, ને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન એ સંસારના કારણ છે. બીજે ઠેકાણે આ પ્રમાણે આવે છે - અણ તિરકખગ, રુદ્દજઝાર્યા ગમ્મઈ નયં ધર્મગ્ર દેવાર્ય સિદ્ધિગઈ સુજઝાણુંણું || અર્થાત્ (૧) આર્તધ્યાનથી તિર્યંચગતિ મળે (૨) રૌદ્રધ્યાનથી નરકે જવાય. (૩) ધર્મધ્યાનથી દેવલોક, અને (૪) શુક્લધ્યાનથી મોક્ષ મળે, Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy