________________
૭૨ ધ્યાન અને જીવન
૫૨ ચોટે, ભલે એક જ ક્ષણ, એ ધ્યાન કહેવાય. મન વધુમાં વધુ એક અંતર્મુહૂર્ત જ એક વિષય પર રહી શકે.
મુહુર્તનો હિસાબ આ પ્રમાણે છે
૭ પ્રાણ = સ્તોક । ૭ સ્ટોક
લવ | ૭૭ લવ - મુહૂર્ત.
એટલે ૩૭૭૭ પ્રાણનું એક મુહુર્ત થાય. એમાં અતિ સૂક્ષ્મ એક સમય ઓછો એ અંતર્મુહુર્ત કાળ કહેવાય.
આમ જોઈએ તો બે ઘડી યાને અડતાલીસ મિનિટનું એક મુહુર્ત થાય. એમાં સહેજ ઓછું એ અંતર્મુહુર્ત સુધી જ ચાલી શકે. પછી એ તૂટે જ. એટલે એક સાથે મનની સ્થિરતા એટલી જ, પછી ચલ અવસ્થા થાય. એમાંથી ય પાછી ધ્યાન-અવસ્થા આવી શકે. ત્યાં જો અનુપ્રેક્ષાની ચલ અવસ્થા અતિ અલ્પ સમય આવીને પછી સ્થિર ધ્યાનાવસ્થા શરુ થઈ જાય, એ વળી અંતર્મુહુર્ત રહી પછીથી સહેજ ચલ અવસ્થા બની ફરીથી ધ્યાન ચાલે,... તો આ ધ્યાનધારા કહેવાય.
આ તો શુભ ધ્યાનની વાત થઈ. પરંતુ સામાન્યથી ધ્યાન બે પ્રકારે - શુભ અને અશુભ, એ દરેક બબ્બે પ્રકારે, એમ કુલ આ ચાર પ્રકાર
(૧) આર્તધ્યાન
(૨) રૌદ્રધ્યાન
(૩) ધર્મધ્યાન (ધર્મધ્યાન)
(૪) શુક્લધ્યાન
આમાં પહેલાં બે અશુભ છે, છેલ્લાં બે શુભ.
ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ મોક્ષનાં કારણ છે, ને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન એ સંસારના કારણ છે.
બીજે ઠેકાણે આ પ્રમાણે આવે છે
-
અણ તિરકખગ, રુદ્દજઝાર્યા ગમ્મઈ નયં
ધર્મગ્ર દેવાર્ય સિદ્ધિગઈ સુજઝાણુંણું || અર્થાત્ (૧) આર્તધ્યાનથી તિર્યંચગતિ મળે (૨) રૌદ્રધ્યાનથી નરકે જવાય.
(૩) ધર્મધ્યાનથી દેવલોક, અને (૪) શુક્લધ્યાનથી મોક્ષ મળે,
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org