________________
ધ્યાન અને જીવન
‘ભાવના’ એટલે મનની એવી કામગીરી કે જે રાગાદિ ઘટાડી આત્માને જ્ઞાનાદિથી ભાવિત કરે.
આ ભાવનાની વાત થઈ.
(૨) અનુપ્રેક્ષા એટલે એ ચલ મનની એવી પ્રવૃત્તિ છે કે જેમાં મન ધ્યાનની ‘અનુ’ યાને પછી પ્રેક્ષામાં જોડાય છે, અર્થાત્ અનિત્ય-અશરણ વગેરેના ચિંતનમાં ચડે છે. ‘સંસારમાં બાહ્ય આભ્યન્તર સર્વ સંયોગ અનિત્ય છે', એના પર ચિંતન એ અનુપ્રેક્ષા. એમ ‘જન્મ-જરા-મૃત્યુ-રોગ-અકસ્મા-અને કર્મને પનારે પડેલ જીવને આ જગતમાં કોઈનું શરણ નથી' એના ૫૨ ચિંતન એ પણ અનુપ્રેક્ષા.
એવી બાર અનુપ્રેક્ષાઓ છે. ધ્યાન તૂટે ત્યારે મન તરત આ અનુપ્રેક્ષામાં જોડાવું જોઈએ. મન બીજા ત્રીજા વિચારમાં જાય નહિ. અનિત્યાદિ બાર પદાર્થના કોઈ ચિંતનમાં લાગી જાય. તે ય પાછું સ્ફૂર્તિ-સ્થિરતા વધતાં થોડીવારમાં ચિત્ત ધ્યાનમાં ચડી જાય.
૭૧
(૩) ચિત્ત એટલે એ ચલ મનની ત્રીજા પ્રકારની અવસ્થા છે. પૂર્વે કહ્યું તે ભાવના કે અનુપ્રેક્ષા રૂપ મનની પ્રવૃત્તિ નહિ, પરંતુ બીજા-ત્રીજા વિચારોમાં મન ૨મી રહ્યું હોય. તો એ મનની અવસ્થાને ‘ચિત્ત' કહે છે. અમથા બેઠા મન અહીં તહીં ભટકતું હોય, યા ગામગપાટા ચાલતા હોય, કુથલી-વિકથા-વાતો થતી હોય, ત્યાં આવા વિચારો આવું મન પ્રવર્તે છે. ગમે તે એક વિચાર પરથી બીજા ૫૨, ને બીજા પરથી ત્રીજા ઉપર... નવરા બેઠા પણ મન આવી દોડાદોડ કરે છે. અરે ! પ્રભુના નામનો જાપ લઈ બેસતાં કે બીજી ધર્મક્રિયા વખતે પણ રદ્દી વિચારો આવી જવાની તો ઘણાઓની ફરિયાદ રહે છે. આમાં નથી ભાવના, કે નથી અનુપ્રેક્ષા, કિન્તુ ગમે તે વિચારો-વિકલ્પોમાં મનની ભટકવાની અવસ્થા છે. એ અવસ્થાને ‘ચિત્ત’ કહેવામાં આવે છે.
** *
૧૦. શુભાશુભ ચાર ધ્યાન
આમ ભાવના, અનુપ્રેક્ષા અને ચિત્ત એ ત્રણે ય ચલ મનની અવસ્થાઓ છે. ત્યારે સ્થિર મનની અવસ્થા એ ધ્યાન છે.
Jain Education International
ધ્યાન એટલે મનનું સ્થિર અધ્યવસાન. ‘અધ્યવસાન’ એટલે મનનું એકાગ્રતાનું અવલંબન. મન એકાગ્રપણે કોઈ જડ કે ચેતન પદાર્થ, યા એના ભાવ
For Private & Personal Use Only
www.jainelibrary.org