SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ 55 ત્રણ કાટલે જીવનને માપો : ધ્યાન અને જીવન જીવનને (૧) પુણ્ય-પાપના કાટલે માપવા જેવું છે, (૨) શુભાશુભ ભાવના કાટલે માપવા જેવું છે, (૩) પરલોક સુધરવા-બગડવાના કાટલે માપવા જેવું (૧) જીવનને પુણ્-પાપ ૫૨ માપવામાં મનને એમ રહે કે શું સારો પુણ્યકમાઈનો અવસર છે ! છેવટે શુભ ભાવનામાત્રથી ય પુણ્યકમાઈ કરી શકું, તો આ જીવનસમય સારો. અશુભોદય વેઠવાનો આવ્યો હોય તો ય તે પાપક્ચરો સાફ કરવાનો અવસર હોઈ સારો જ જીવનસમય ગણું. ધર્મ ગુમાવવાનું થાય છે તો એ જીવનસમય વેડફાયો માનું, દુ:ખમય માનું.' જીવનની આ માપણી પુણ્ય-પાપ પર કરી. ધર્મ દ્વારા પુણ્યની કમાઈ ચાલુ છે ને ? યા આપત્તિ ભોગવવા દ્વારા પાપક્ષય ચાલુ છે ને ? તો એ જીવનસમય સારો પસાર થયો માનવાનો. પણ જો એકલા પૂર્વપુણ્યના ભોગવટાનો સમય ચાલ્યો છે, કોઈ નવી પુણ્યકમાઈનો નહિ, તો તે નરસો ગણું. એય દુઃખ-આપત્તિમાં માત્ર રોદણાં જ છે, ભાવ સારા રાખવાનું છે નહિ, તો એ નરસો જીવનસમય. (૨) એમ, શુભાશુભ ભાવ પર માપણી આ, કે બહારના સંયોગો ગમે તેવા છલબલતા વૈભવ-માન-સન્માનના હો કે ગરીબી-આપત્તિ-રોગાદિના હો પરંતુ જો હૃદયના ભાવ શુભ ચાલે છે તો એ ધન્ય જીવનસમય ! ને જો ભાવ અશુભ ચાલ્યા તો એ નરસો સમય. (૩) એમ ત્રીજી માપણી આ, કે જીવનનો જે સમય પસાર થઈ રહ્યો છે તે પરલોક સુધારવામાં થઈ રહ્યો છે કે બગાડવામાં ? એ હિસાબે જ એને સારો-નરસો લેખીએ એ પરલોકના કાટલે જીવનને માપ્યું ગણાય. દુષ્કૃત, દુર્ભાવના, અનુચિત બોલ, અશુભ ભાવો વગેરે પરલોકને બગાડનારા છે. જો એ ચાલુ છે, પછી ભલે દુન્યવી સુખલીલા ચાલતી હોય, તો એ પરલોકને બગાડનાર હોઈ, એ જીવનસમય દુઃખનો ગણાય. એથી ઉલટું બાહ્ય દુઃખ છતાં જો સુકૃત, સત્કૃત્ય, શુભ ભાવના, સુયોગ્ય બોલ વગેરે ચાલુ છે, તો એ વસ્તુ પરલોક સુધારનાર હોઈ, એ જીવનસમય ખરેખર સુંદર ગણાય. બસ, જીવનને આ પુણ્ય-પાપ આદિના કાટલે જ માપવાનું રખાય તો તત્ત્વદૃષ્ટિ આવી જાય અને જીવનના પ્રસંગે પ્રસંગ એનાથી નિહાળાય. એમ તત્ત્વદૃષ્ટિથી નિહાળતાં શુભ ભાવ અને શુભ ધ્યાન સુલભ બનવાનાં. જીવન સાથે ધ્યાનનો કેટલો સંબંધ છે એના પર સામાન્ય રૂપે વિચાર્યું. હવે ધ્યાનના દરેક પ્રકારને સમજી જીવન સાથે એનો સંબંધ જોઈએ. Jain Education International *** For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy