SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન પ (૫) જે કાળે દુઃખ આવ્યું એ કાળે પાપનો ઉદય નિશ્ચિત અને અનિવાર્ય માની, એને પ્રસન્નચિત્તે વધાવી લેવું, એ શાહજોગ દેવાની ચુકવણી છે. (૬) વળી વનવાસને આપત્તિને દુઃખનું કારણ સમજવા કરતાં, પાપકર્મ ભોગવાઈ જઈ એને ક્ષય પમાડવાનું નિમિત્ત સમજવું. દુઃખ આવ્યે કચરો સાફ થાય છે. કચરો જાય એમાં નારાજી શા માટે ? મહાસુખના અવસરે તત્ત્વદેષ્ટિ : સીતાજીને છેલ્લે જ્યાં દિવ્ય કર્યા પછી જબરદસ્ત માન સન્માન સાથે મહેલવાસ કરવાનો, તેમજ વિનયી પુત્રોની સેવા લેવાનો અને ભવ્ય રીતે ઠરી ઠામ બેસવાનો અવસર આવ્યો, ત્યાં આનંદની દૃષ્ટિ ન થઈ, પણ તત્ત્વદૃષ્ટિ આવી કે ‘આ પણ કર્મનું પ્રલોભન છે. કર્મે ત્રણ ત્રણ વાર તો મને ઠગી છે. (૧) કર્મે રામ જેવા પતિ તો આપ્યા, પણ વનવાસમાં તગેડી ! (૨) ત્યાં ય પતિની છાયા મળ્યાથી હાશ રાખી, પણ કર્મે રાવણ પાસે ઉપડાવી ! (૩) ત્યાંથી વળી છૂટી અયોધ્યામાં આવી, રાજમહેલમાં માનભેર રહેવાનું મળ્યું, કિંતુ કર્મે પાછી અચાનક વગડામાં ત્યજાવી. આવી કર્મની વારંવાર ઠગાઈઓ જોઈ છે, તો હવે પાછી ફરી ઠગાવા ક્યાં જાઉં ? હવે તો એને ઊખેડવા ચારિત્ર જ લઉં.' લીધું ચારિત્ર. દૃષ્ટિની જ ખૂબી. તાત્ત્વિક દૃષ્ટિ રખાય તો એના એજ પ્રસંગમાં શુભ ભાવયુક્ત શુભ ધ્યાન સુલભ બને. પ્રસંગો ક્યાં ઓછા આવે છે ? આખા દિવસનો કાર્યક્રમ પ્રસંગોથી ભરપૂર રહે છે ને ? સારી-નરસી ચીજવસ્તુના ગમના-ગમન પણ પ્રસંગ જ છે ને ? ત્યાં કોઈને કોઈ ભાવ તો જાગતા રહેવાના. તત્ત્વદૃષ્ટિ હોય તો ભાવ સારા કરાય, સારા રખાય, મિથ્યા મતિની દૃષ્ટિ હોય તો ભાવ અશુભ થવાના. પૂછો, તત્ત્વદૃષ્ટિ કેવી રીતે રાખવી ? જીવનની સાચી માપણી પર. જીવનને જ વસ્તુઓની સગવડ-અગવડના કાટલે નહિ માપવું કે ‘આટલી સગવડ મળી તો ચાલો સુખના દહાડા કે સુખની ઘડી', ને અવગડમાં મૂકાયા તો ‘અરે ! દુઃખના દિવસો કે દુઃખની ઘડી આવી !' જીવનને જડના કાટલે માપવામાં મિથ્યામતિ કામ કરી જાય છે અને એ હૈયાના કેટલાય ભાવ બગાડી નાખે છે. સગવડ ઉપર અને સગવડ દેનારા ઉપર રાગ ઊછળે છે, ને ન દેનારા અળખામણા લાગે છે. એમ અગવડ ને અગવડના દેનાર પર દ્વેષ જાગે છે. આ રાગદ્વેષની પછી તો બીજા કેટલાય અશુભ ભાવો દા.ત. મદ, માયા, કપટ, ઈર્ષ્યા, દીનતા વગેરે જાગી પડે છે, એ બધું જીવનને જડની અનુકુળતા-પ્રતિકુળતાના કાટલે માપી સુખ-દુઃખની ટકાવારી કરવામાં ઊભું થાય છે. તેથી, 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy