SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ની ધ્યાન અને જીવન (૯)ઊતરવું પડે છે ! ક્યાં ? માનવી સ્ત્રીની ગંધાતી કુક્ષીમાં ! કેવો એક ભવમાંથી બીજા ભવમાં કરુણ પલ્ટો ? ત્યારે વળી ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી અને પહેલા-બીજ વૈમાનિક દેવો તો કેટલાય મરી મરીને પંચેન્દ્રિય તિર્યંચ જનાવર પણ થાય અને કેટલાય તો વળી મરીને એકેન્દ્રિય તિર્યંચ પૃથ્વીકાય, અપ્લાય કે વનસ્પતિકાયનો ય ભવ પામે આ પરિવર્તન કેવું કરુણ ? જીવ દેવભવે દિવ્ય જ્ઞાનનો અવધિજ્ઞાનનો ધણી ! અને પછીના એકેન્દ્રિયભવે સાવ અજ્ઞાન અબુઝ માટી-પત્થર-પાણી-ઝાડ વગેરે ! ત્યાંથી મરીને ફરી ફરી એકેન્દ્રિય પણ થાય. ક્યારે બહાર નીકળે ? ભગવાન જાણે. જરૂર પડ્યે અસંખ્ય કે અનંત કોટાકોટી સાગરોપમો ય એકલા એકેન્દ્રિયપણાના ભવોમાં જય ! ત્યાંથી બહાર નીકળીને ચારે ગતિના ભવોમાં ભટકવાનું ! સંસાર ઓળખતાં અશુભ ધ્યાન અટકે : આમ સંસારમાં અનંતા પુદ્ગલ-પરાવર્ત કાળ વીતી ગયા ! નિરાધારપણે કર્મના પ્રેર્યા એક ભવમાંથી બીજા ભવમાં “સં' એટલે સારી રીતે, “સાર' એટલે સરક્યા જ કરવાનું ! એનું નામ સંસાર. જીવની કર્મવશ આ ભયંકર કંગાળ હાલત નજર સામે રહે ત્યાં, પછી એવાં કર્મના પ્રેરક હૈયાના અશુભ ભાવ કે મનથી ખરાબ ધ્યાન કરતાં કેટલો બધો વિચાર પડે? હૈયું ને મન શું કામ બગાડાય ? (૨) એક કર્મના ઉદય પરથી બીજા કર્મના ઉદય પર સંસરણ એ સંસારઃ સંસારનો બીજો અર્થ કર્મના ઉદયોમાં સારી રીતે સરક્યા કરવાનું. જીવની આ પણ કેવી કંગાળ દશા છે ! હમણાં શાતાનો ઉદય ચાલતો હોય તો પછી વળી અશાતાના ઉદયમાં મૂકાવું પડે. એમ શ્રીમંતાઈના પુણ્યોદય પરથી ગાડી સરકી, ને ગરબાઈના પાપોદય પર જવું પડે. એમ લાભાંતરાય તૂટે તો લાભ તો પામે. પણ ત્યાં વળી કદાચ ભોગાંતરાય કર્મ ઉદયમાં આવે, ને લાભ ભોગવી ન શકે ! હમણાં જ્ઞાનાવરણનો ઉદય થોડો દબાવ્યો હોય અને ત્યાં દર્શનાવરણનો વિશેષ ઉદય જાગે, તેથી આંખ કાચી પડે. એમ હમણાં સુંદર યશનામકર્મનો ઉદય ચાલતો હોય અને એકાએક અપયશ નામકર્મ ઉદયમાં આવી જાય ! સીતાજીને શું થયું? પતિ રામચંદ્રજીની સાથે પોતાની ખુશીથી સીતા વનવાસે ગયેલા. તેથી એ સાચી પતિવ્રતા સ્ત્રી તરીકે જશ પામ્યા હતા. પણ પછી અયોધ્યામાં આવ્યું સામ્રજ્ઞી બન્યા બાદ અપયશ નામકર્મના ઉદય પર ફેંકાયા, તો બહાર ગવાયા કે “આ તો વૈભવી રૂપાળા રાવણને ત્યાં રહી આવેલા તે સતી શાના હોય ? “સંસાર” એટલે કર્મોના વિચિત્ર અને પરસ્પર વિરોધી એવા પણ ઉદયમાં સરક્યા કરવાનું. હમણાં દિવ્ય કાયા, ને પછી ભૂંડની કાયા. સનકુમાર ચક્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy