SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ન ધ્યાન અને જીવન લાખનો, ચોથો આઠ લાખ જોજનનો, પાંચમો સોળ લાખ જેજનનો એમ પછી પછીનો દ્વીપ કે સમુદ્ર બમણો બમણો થતો જાય, ત્યારે પહેલા પરાર્ધનો છેલ્લો દ્વિીપ કે સમુદ્ર કેટલા લાખ ક્રોડ અબજ પરાધ જોજનનો થાય ? પછી ય આગળ આગળ દ્વિગુણ દ્વિગુણ ચાલુ. એવા પરાર્થોના પરાર્થો દ્વીપ સમુદ્રોને એક હજાર જોજન સુધી ઊંડે સરસવના દાણાથી ભર્યા હોય અને એ કુલ સરસવના દાણાની જે સંખ્યા થાય એટલેથી પણ “અસંખ્ય ની સંખ્યા ન કહેવાય. એથી ય કઈ કઈ ગુણા આગળ જવું પડે ! પછી અસંખ્યનો આંકડો થાય. આની ય ચોક્કસ ગણિત પ્રક્રિયા છે, એ વિસ્તૃત હોવાથી અહીં નહિ વિચારીએ. એવી “અસંખ્ય'ની સંખ્યા એકેક વાળના ટુકડાની ! એવા પારાવાર ટુકડાથી જોજનિયો કુવો ઠાંસીને ભરવાનો, તે એવો ઠાંસીને કે ચક્રવર્તીની છ— ક્રોડ પાયદળ અને ચોર્યાસી-ચોર્યાસી લાખ અશ્વદળ, રથદળ અને હસ્તિદળ એના પર થઈને ચાલી જાય છતાં એ દોરાપૂર દબે નહિ. એવા ઠાંસી ભરેલા કુવામાંથી સો-સો વર્ષે માત્ર એકેક એવો સૂક્ષ્મ ટુકડો કાઢવાનો. એમ કરતાં જ્યારે એ કુવો સંપૂર્ણ ખાલી થાય, એમાં કુલ કેટલા વર્ષો લાગે, એ એક પલ્યોપમનો કાળ કહેવાય. પૂર્વે કહ્યા મુજબ માત્ર એક વાળના જ અસંખ્ય ટુકડા કાઢતાં એ ટુકડાની સંખ્યા કરતાં સો ગણા અસંખ્ય વરસ લાગે. તો પછી સમગ્ર કુવાના વાળના ટુકડા કાઢતાં તો કેટલા ગુણા અસંખ્ય વરસ લાગે ? જોજનિયા કુવામાં ઠાંસીને પેક ભરેલા વાળની સંખ્યા જેટલા ગુણા અસંખ્ય વર્ષ !! આ તો એક પલ્યોપમ વર્ષનો કાળ ! એવા સો-બસો નહિ, હજાર-બે હજાર કે લાખ-બે લાખ નહિ, પણ સો લાખ પલ્યોપમે એક ક્રોડ પલ્યોપમ થાય. એવા ય ક્રોડ પલ્યોપમ એક બે વાર નહિ, પણ દસ કરોડવાર પસાર થાય ત્યારે એક સાગરોપમ વર્ષનો કાળ થાય. એવા તેત્રીસ સાગરોપમ વરસનું સાતમી નરકના જીવોનું આયુષ્ય ! પહેલી નરકમાં વધુમાં વધુ એક સાગરોપમનું આયુષ્ય, ત્યારે અહીં એથી તેત્રીસ ગુણું. ઘોર નરકના દુઃખોમાં આવા કાળ શું પસાર થાય ? કેટલી કલ્પનાતીત દીર્ઘ કાળની રૌરવ ત્રાસયાતના ? આને નજર સામે રખાય તો અહીંના ભારેમાં ભારે પણ કયા દુઃખમાં મનના ભાવ બગડે ? કેમકે અહીંના દુઃખ ભોગવતાં તો પાપ મામુલી ખપે છે, પણ રૌદ્ર તીવ-ઉગ્ર અશુભ ભાવથી તો પૂર્વે કહ્યા તેવા પલ્યોપમ સાગરોપમોનાં પાપ સર્જાય છે ! એમ દુનિયાની તુચ્છ ચીજ કે માન ખાતર પણ કરેલા ઉગ્ર અશુભ ભાવ એવાં નરકનાં ભાતાં ભેગાં કરી આપે છે ! અસ્તુ. દેવનો કરુણ પલ્ટો : આપણી વાત અનુત્તરવાસી દેવના આયુષ્યકાળ તેત્રીસ સાગરોપમ વરસની હતી. એટલો જંગી કાળ પણ એક દિ' સંપૂર્ણ ખૂટે છે ! અને એ દેવને ય નીચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy