________________
૮. સંસાર શું છે ?
સંસાર એટલે સંસરણ, સારી રીતે સરકવું એ સંસાર. સંસારમાં ક્યાં ક્યાં સરકવાનું?
(૧) એક ભવમાંથી બીજા ભવમાં, (૨) એક કર્મના ઉદય પરથી બીજા કર્મના ઉદય પર. (૩) એક પુદ્ગલ દ્રવ્ય પરથી બીજા પુદ્ગલ દ્રવ્ય પર. (૪) એક પ્રવૃત્તિ પરથી બીજી પ્રવૃત્તિ પર. (૫) સુખમાંથી દુઃખ પર, ને દુઃખમાંથી સુખ પર. (૬) એક ભાવમાંથી બીજા ભાવ ઉપર.
હવે આ એકેકમાં આપણી કંગાળ સ્થિતિ જુઓ એટલે પછી એના પર ધૃણા ઊપજે, ને એવા કંગાળ બનાવનાર સંસાર ખાતર મનના ભાવ ને મનનું ધ્યાન બગાડતા અટકીએ. (૧) એક ભવમાંથી બીજા ભવમાં :
પહેલું સંસરણ યાને સારી રીતે વારંવાર સરકવાનું, તે ભવોમાં ભટકવાનું છે. ચારે ગતિમાંથી એક ગતિ એવી નથી કે જેના ભવમાં જીવ કાયમી સ્થાન પામી શકે. “ઉપદેશમાળા” શાસ્ત્ર કહે છે કે જો લવ-સત્તમિયા દેવ યાને અનુત્તર વિમાનવાસી દેવ કે જેમને તેત્રીસ સાગરોપમ એટલે કે ત્રણસો ત્રીસ કોડાકોડી પલ્યોપમનું જંગી આયુષ્ય હોય છે, એમને પણ ત્યાંથી પડવું પડે છે, તો સંસારમાં બીજું કયું સ્થાન શાશ્વત હોઈ શકે ?
ત્રણસો ત્રીસ કોડાકોડી પલ્યોપમ વર્ષ એટલે કેટલો કાળ, એ સમજો છો ? પહેલું તો એક પલ્યોપમ વર્ષ એટલે અસંખ્ય વર્ષ. એ “પત્ય'ની ઉપમાવાળા એટલે કે પ્યાલાની ઉપમાવાળા, અર્થાત્ એક જોજનના યાને ચાર ગાઉના લાંબા-પહોળા-ઊંડા કુવામાં જુગલિયો કે જેના વાળ બહુ પાતળા હોય છે, એના વાળના અસંખ્ય ટૂકડા કરી એવા ટૂકડા ઠાંસી ઠાંસીને ભરચક ભર્યા હોય. આમાં ય જોજો વાળ કેટલા સમાય ? ને એ દરેક વાળના ટુકડા અસંખ્ય છે. એ અસંખ્યની ગણતરી કરોડો, અબજો, પરાથી પણ નથી પામી શકાતી. પરાર્થોના પરાર્થો દીપ-સમુદ્રો કે જેમાં પહેલો એક લાખ જોજનનો, બીજો બે લાખનો, ત્રીજો ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org