________________
– મી ધ્યાન અને જીવન દિવસ-રાત નાની-મોટી અનુકૂળતા-પ્રતિકુળતા ભોગવતાં અશુભ ભાવ અને અશુભ ધ્યાન પાર વિનાના ચાલુ ! એથી અશુભ કર્મની આવક ધરખમ ચાલુ ! ઉકરડાના ઈજારદારને જાવક થોડી અને આવક ઘણી.
માનવભવમાં આત્માએ ધંધો શો રાખ્યો ? મોટો વેપારી ! પણ વેપાર ઉકરડાના ઈજારાનો ! સારા આદિશ આર્યકુળમાં જન્મ મળ્યો અને આત્માની વાતો મળી, પણ એને આત્માનો સળગતો વિચાર જ નથી, એટલે આત્મહિતના ઉદ્દેશથી અનુકૂળતા-પ્રતિકુળતા ભોગવતાં આવડતી નથી. તેથી સતત અશુભ રાગદ્વેષ ક્રોધાદિ કષાયોમાં અને દુર્ગાનમાં ડુખ્યા રહેવાનું થાય છે, એટલે જ લોટબંધ પાપકર્મોની ખરીદી થાય છે. પુણ્ય વેચી વેચી પાપ ખરીદ્ય જવાની જ મૂઢતા ! પુણ્ય તો મામુલી ઉદયમાં છે, પણ પાપની અઢળક લોટબંધ આવક ચાલુ છે. એનું નામ પાપાનુબંધી પુણ્યનો ભોગવટો.
ત્યારે અહીં પ્રતિકુળતા આવે, અગવડ-આપત્તિ દુઃખ આવે, તો ય તે નારક-તિર્યંચોનાં દુઃખ આગળ શી વિસાતમાં ? કાંઈ જ નહિ. એ દુઃખ આગળ આપણાં દુઃખ-અગવડ-આપત્તિ અનંત-અસંખ્યાતમા ભાગે આવે. તો પછી એ દુઃખ લાવનારાં પાપકર્મ પણ પેલાનાં પાપકર્મોની અપેક્ષાએ કેવાં મામુલી ફાસરૂસિયાં ? હવે વિચારો કે માનવજીવનમાંના દુઃખ-આપત્તિ-અગવડ વેઠીને કેવાં કેટલાં પાપકર્મ ઓછાં થાય ? હા, ત્યાં ભાવ સારા રહેતા હોય, ધર્મધ્યાન ચાલતું હોય તો એના બળ ઉપર લખલૂંટ બીજાં પાપકર્મ રવાના થાય. પરંતુ એ તો આવડતું નથી. ભાવ બગાડતા આવડે છે, મન બગાડાય છે, એટલે મામૂલી દુઃખ-આપત્તિ વેઠીને રવાના થનાર પાપકર્મ બહુ ઓછાં. એનું નામ પ્રતિકુળતા-દુઃખ-આપત્તિમાં પાપકર્મની જાવક ઓછી. ત્યારે ભાવ બગાડીને મનને તીવ્ર દુધ્યાર્નમાં લગાડીને પાપકર્મોની આવક જંગી ! દુઃખ તરીકે ભોગવાય કદાચ અશાતા વેદનીય કર્મ, પણ ઉપર અશુભ ભાવરૂપી ગુનો કરવામાં એકઠાં થનારાં કર્મ જ્ઞાનાવરણીય આદિ સાતે કર્મ !
સારાંશ, દેવલોકની અપેક્ષાએ અહીં મળતા મામૂલી સુખ કે નરકની અપેક્ષાએ અહીં મળતા મામુલી દુઃખ ભોગવતા નથી આવડતું, તેથી પાપકર્મોની જાવક ઓછી અને આવક ઘણી ! તો પછી આપણે ઉકરડાના ઈજારદાર ને ?
સંસારને ઓળખતા નથી એટલે સુખ-દુઃખ બંનેમાં ચિત્ત બગાડાય છે, ભાવ બગાડાય છે. નજર સામે સંસારનું ચિત્ર ખડું રહે તો અશુભ ભાવ લાવતા પહેલાં લાખ વિચાર પડે, આવી ગયો હોય તો ઝાઝો ટકવા ન દેતાં એને શુભ ભાવથી નિષ્ફળ કરાય. સંસારનું ચિત્ર બેહંદુ છે.
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org