________________
- ધ્યાન અને જીવન (૧૫) આજનું જીવન :
ત્યારે વિચારવા જેવું છે કે સંસારની જડ માયાનું જીવન જીવતાં જુઠ, અનીતિ, અહંત્વ, ઈર્ષા, ભોગવિલાસ વગેરે ચાલ્યા કરતું હોય ત્યાં શુભ ધ્યાન અને શુભ ભાવને જગા જ ક્યાં મળવાની ? એમાં વળી આજની ફજુલ પ્રવૃત્તિઓ, આડંબરી ઠઠારા અને દુનિયાની આંધીમાં મગજનું ડહોળાણ કેટકેટલા રકમબંધ અને જોરદાર અશુભ ભાવભર્યા અશુભ ધ્યાનના સતત પ્રવાહને દિલમાં ચલાવ્યા કરે ?
માણસ ભૂલ ક્યાં ખાય છે ? જડ માયા અનુકૂળ અનુકૂળ મળી આવે છે ત્યાં. એ મળવાનું પુણ્યથી બને છે. ભલે એક છાપું ખરીદવાની અનુકૂળતા નથી, પણ જો કોઈની પાસેથી વાંચી લેવાની ય અનુકૂળતા મળી તો એ પણ પુણ્યથી. પછી એ વાંચતાં શું થાય છે ? અને વાંચ્યા પછી એનું સ્મરણ થયા કર્યું ત્યાં જીવ શું કરે છે ? ભારે કોટિનો રાગ, દ્વેષ, લોભ વગેરે અશુભ ભાવ સાથે મનની તન્મયતા જ કરે છે ને ? એટલે અશુભ ધ્યાન એ શું આપે ? અશુભ કર્મોના લોટ ! આ તો એક દાખલો છે. એવી બીજી અનુકૂળતાઓ મળે છે, એટલે એમાં પણ એ જ અશુભ ભાવવાળા અશુભ ધ્યાનની પણ રમત ઉપર ભરચક અશુભ કર્મોની કમાઈ,
જીવ જાણે ઉકરડાનો ઈજારદાર ! જીવનમાં જાણે ઈજારો રાખ્યો તે અશુભ - કર્મોરૂપી ઉકરડો ભેગો કર્યે જ રાખે છે ! અશુભ કર્મ એ ઉકરડો કેમ?
(૧) ઉકરડામાં કશું સારું નહિ, એમ આ પાપકર્મ-સંચયમાં કશું સારું નહિ.
(૨) ઉકરડો જમીન બગાડે, હવામાન બગાડે, આરોગ્ય બગાડે... વગેરે વગેરે. એમ આ અનેક પ્રકારના એકત્રિત કરેલ અશુભ કર્મ ઉદયમાં આવીને શાતા-યશ-સૌભાગ્ય વગેરે કેટલું ય બગાડી નાખે છે ! માટે અશુભ કર્મનો ગંજ એ ઉકરડો. જીવે સતત એની આવક ધરખમ ચાલુ રાખી, એટલે જાણે એનો ઈજારો રાખ્યો !
(૩) ત્યારે ઉકરડાના ઈજારદારને આવક ઘણી અને જાવક થોડી. જુના ઉકરડા સડીને સુકાઈને ઓછા થતા જાય એ આવક અને શહેરમાંથી કચરા આવી આવીને એ વધતા જાય એ આવક. જવક થોડી, આવક ઘણી. એટલે એમ કહીએ છીએ કે “ઉકરડાના ઈજારદારને ઉકરડાની જવક થોડી, આવક બહુ.”
એવું જીવને શું છે કે જાવક થોડી ? આ જ, કે અહીં મનુષ્યભવમાં મધ્યમ સ્થિતિ છે, નરક કે તિર્યંચગતિ જેવાં દુઃખ-ત્રાસ-રિબામણ નથી, એટલે કે એવા અને એટલા બધા પ્રમાણમાં અશુભ કર્મના ઉદય નથી, ઉદય નહિ એટલે કર્મો ભોગવાઈને ઓછા થવાનું નહિ, એટલે જાવક થોડી. ત્યારે આવક કેટલી બધી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org