________________
૫૪ ધ્યાન અને જીવન
કું, ને એ ખુશીથી ઝીલે, તેથી મને એમના કલ્યાણમિત્ર બનવાનો લાભ મળે', આ ઉદ્દેશ જીવંત રાખી વાત વહેવાર થાય એ પણ આત્માને ઉદ્દેશીને થયો કહેવાય, પણ ત્યાં પોતાના દિલમાં મોહના રાગ ન પોષાય એ ચોક્સાઈ રાખવી જ પડે.
આમ સાંસારિક પ્રવૃત્તિમાં આત્માનો ઉદ્દેશ જીવતો જાગતો રખાય, એટલે સહેજે એ પ્રવૃત્તિઓ માત્ર જરૂરી અને ખપ પૂરતી જ થાય, ને તે પણ આત્મવિચારથી ઝગમગતી. પછી ધર્મપ્રવૃત્તિમાં જોડાયા ત્યાં દુન્યવી વિચારો બહુ નહિ સતાવે. એટલે એવી નિર્ભેળ ધર્મસાધનાથી શુભ ભાવ સુલભ બનવાના, શુભ ધ્યાન સારું લાગવાનું. દુન્યવી પ્રવૃત્તિઓમાં પણ જો શુભ ભાવનો અભ્યાસ રાખ્યો, તો ધર્મપ્રવૃત્તિમાં તો એ ઉલ્લાસવંતા અને વિકસતા રહે એમાં પૂછવાનું જ શું ?
આવું જીવન જીવાય એમાં શુભ ભાવ અને શુભ ધ્યાન કેટલું બધું સંકળાયેલું હોય ! ને એ જો નહિ તો એ ય સમજી રાખો કે અશુભ ભાવ ને અશુભ ધ્યાનની ધારા જ ચાલ્યા કરવાની. પછી તો જાણો જ છો ને કે તિર્યંચગતિને યોગ્ય કેટલાય અશુભ કર્મો લોટબંધ બંધાયા કરવાના.
ધ્યાનને જીવન સાથે બહુ સંબંધ છે અને ધ્યાનમાં ભાવ તો સાથે જ લાગેલો હોય છે, ત્યારે શુભાશુભ ભાવની ઉપર કર્મબંધનો આધાર છે. એટલે જો અશુભ ભાવમાં રમતા રહ્યા તો અશુભ કર્મોનાં પોટલાં જ બાંધવાના ને ?
દિલના ભાવ પ્રમાણે કર્મ બંધાવામાં ઉધારો નથી :
જે સમયે હૃદયમાં જે ભાવ હોય તે જ સમયે તેવાં કર્મ આત્મા પર ચોંટી જ જાય છે. કપડા પર તેલની ચિકાશ હોય ત્યાં સુધી રજ ચોંટવાનો ઉધારો નહિ, સમય સમય વાતાવરણમાંથી ૨૪ ચોંટ્યા જ કરવાની. એવું આમાં છે. દિલના ભાવ એ આત્મા પર ચિકાશ. એ તરત જ કર્મ ચોંટાડે. ધ્યાનમાં ભાવ સતેજ બને છે, એટલે કર્મ પણ સતેજ ચોંટાડે.
કર્મને શી શરમ ? :
ભાવનો આ ઉધારા વિના કર્મસર્જન કરવાનો સ્વભાવ બહુ ધ્યાનમાં રાખવા જેવો છે. ત્યાં નથી વિલંબ, કે નથી બહારના સંયોગની શરમ. એક વખત ઓધો ને ચાંલ્લો ય બાજુએ રહી જાય, દુનિયામાં ગવાતો યશ પણ બાજુએ રહી જાય, ને જીવ અશુભ ભાવવાળા અશુભ ધ્યાનમાં રમતો ભયાનક કર્મ ઉપાર્જવા માંડે ! જોયું ને કે પ્રસન્નચંદ્ર રાજર્ષિના સંયમ-તપ-કષ્ટસહન વગેરેની ય શરમ ન પડી, ને ઉગ્ર અશુભ ધ્યાનમાં સાતમી નરક સુધીનાં પાપકર્મ ઊભા થઈ ગયાં !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org