________________
ધ્યાન અને જીવન
૫૩
મંત્રી બોલે છે, ‘એમાં ઉદ્વેગ કરશો નહિ, આ દેખ્યાનું ઝેર છે. બાકી આપણે નદી-કુવાનું પાણી પીએ છીએ એ શું છે ? લોકોના મળમૂત્રના પુદ્ગલ ક્યાં જાય છે ? આ નદી-કૂવા-તળાવમાં અને એને આપણે ચોખ્ખું માનીએ છીએ ! લોકો જે લાડુ પેંડા વગેરે પકવાન્ન પણ ખાય છે એની માટી (વિષ્ઠા) બને છે. એના પર ધૃણા થાય છે. પણ એ ખેતરોમાં જાય છે. પછી એ અને બી વગેરે બીજા મુગલોમાંથી પાછો ઘઉં વગેરે પાક થાય છે, એને આપણે ચોક્ખો માલ માની એની વાનગીઓ હોંશે હોંશે ખાઈએ છીએ ! આ બધું શું સૂચવે છે ? એ જ કે પાણીના પેશાબ, પેશાબનાં પાણી, મિષ્ટાન્નની વિષ્ઠા, વિષ્ઠાનાં મિષ્ટાન્ન, ડીરા-માણેકમાંથી ધૂળ, ધૂળમાંથી હીરામાણેક... એમ જગતભરમાં જડ પુદ્ગલનાં પરિવર્તન થયા કરે છે, એ બધું પુદ્ગલના ખેલ છે. એ ક્ષણિક સારા નરસા દેખાવ પ્રગટ કર્યા કરે છે. તો એમાં એક બાજુ આકર્ષણ અને બીજી બાજુ ખેદ સૂગ પરવામાં શો વિવેક છે ? શી બુદ્ધિમત્તા છે ? એને તો પુદ્ગલનાં નાટક સમજી એના પરના રાગ-દ્વેષથી દૂર રહેવું જોઈએ.’
રાજાની આંખ ખૂલી ગઈ. પછી તો મંત્રી પાસેથી જૈન ધર્મનાં તત્ત્વોનું સુંદર જ્ઞાન મેળવ્યું અને તત્ત્વરસિક બની ગયો.
ખાનપાનમાં આત્માનો ઉદ્દેશ ઃ
વાત આપણી આ હતી કે ખાનપાન વખતે કેવી રીતે બચવું ? આત્માનો ઉદ્દેશ કેવી રીતે રાખવો ? તો એ માટે આ લક્ષમાં રાખવાનું કે -
(૧) ખાનપાનના ય પદાર્થ એ પુદ્ગલના ખેલ છે. એમાં શા માટે રાગદ્વેષ કરું ? ન કરું.
(૨) ભોજન-પાણીની ચીજો એ એકેન્દ્રિયનાં કલેવરો છે. તો મડદા ઉપર ઉજાણી શી માનવી ?
(૩) ખાધા-પીધા વિના ચાલતું નથી, તો કાયાને માત્ર ભાડું આપવા રૂપે આપી દેવાનું, જેથી ભૂખ-તરસમાં લાગેલું મન ધર્મપ્રવૃત્તિ અને સારી ધાર્મિક વિચારણા કરવામાં સુસ્ત ન બને, ને મન ખોરાકના વિચારોમાં ને આર્તધ્યાનમાં ન
ફસાય.
(૪) વળી કાયાને આપું એટલા માટે કે આગળ તપ કરું, ધર્મસાધના કરું. આ જાગૃતિ હોય તો ખાનપાનની પ્રવૃત્તિ ય આત્માના ઉદ્દેશથી થઈ ગણાય.
એમ કુટુંબીઓ સાથે પ્રેમથી વાતચીત કરવા વગેરેમાં પણ જો લક્ષ રહે કે, 'આ બધું એટલા માટે જ કરું કે જેથી એ મારા પર સદ્ભાવવાળા બન્યા રહે તો અવસરે અવસરે એમને આત્મહિતની અને સદ્ગુણોની પ્રેરણા કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org