________________
- પરમ ધ્યાન અને જીવન | મંત્રીજી ! આટલું સરસ સુવાસિત પાણી કયા દિવ્ય કુવાનું છે? કેટલું સરસ પાણી ! તમે આવા કંજુસ કે કદી મને આટલું અવલ પાણી ય ન પીવરાવ્યું?'
મંત્રી કહે, “મહારાજા ! આ પાણીમાં શું વખાણવા જેવું છે ? આ તો પુદગલના ખેલ છે.”
અરે ! વળી તમારું પુગલના ખેલ' આવ્યું? હવે તો ખુલાસો કરો કે શા પુદ્ગલના ખેલ?”
રહેવા દો મહારાજ ! એમાં કાંઈ બોલવા જેવું નથી.” રાજા કહે, “ના, આજ તો ફોડ કરવો જ પડશે, નહિતર લ્યો આ જમવાનું બંધ.”
મંત્રી કહે, “તો સાહેબ ! પહેલાં મને ગમે તેવા પણ ખુલાસા પર અભયદાન લખી આપો, પછી ખુલાસો કરું.’
રાજાને જાણવું તો હતું જ, એટલે અભયદાન લખી આપ્યું. પછી મંત્રી કહે છે, માફ કરજો મહારાજા! આ પાણી પેલી ગટરની ખાળનું છે.”
“અરે હોય ? જુઠું શું બોલો ? એ તો કેટલું ગંદુ કાળું અને ભયંકર બદબો મારતું હતું ? એ ક્યાં ને આ ક્યાં ? સાચું કહો.'
મંત્રી કહે છે, “પધારો અંદર, બતાવું.” એમ કહીને રાજાને જુદી જુદી ત્રણ ઓરડીમાં લઈ જઈ બતાવે છે. ત્રણેમાં પાણીના માટલાની ઉતરેડ ચડાવેલી. પહેલી ઓરડીમાં સૌથી ઉપરના માટલામાં ખાળનું ગંદુ પાણી હતું અને એ મટકાની નીચેના ઝીણા કાણામાંથી પાણી એની નીચેના માટલામાં ટપક ટપક પડતું હતું. એ માટલું ઝીણી કોલસીનું ભરેલું, તે ઉપરથી પડતા ગંદા પાણીનો કચરો ચુસી લેતું ને કંઈક ચોખ્ખું થયેલું પાણી નીચેના છિદ્રમાંથી એની નીચેના કોલસી ભર્યા માટલામાં ટપકતું હતું. એમાંથી નીચે ટપકતું એક વાસણમાં ભેગું થતું. એ પાણી બીજી ઓરડીમાં લઈ એ જ પ્રમાણે કોલસી ભર્યા ત્રણ મટકાઓ દ્વારા શુદ્ધ કરવામાં આવતું, એ તો એકદમ સ્વચ્છ જેવું થતું. છતાં એને ત્રીજી ઓરડીમાં લઈ જઈ વળી કોલસીમાંથી ગાળવામાં આવતું અને ત્યાં આજુબાજુ મોગરો-જાઈ-જુઈ-કેવડો વગેરે સુગંધીદાર પદાર્થો રાખવામાં આવેલા એટલે છેલ્લા ભાજનમાં ટીપે ટીપે એકત્રિત થયેલું સ્વચ્છ જળ સુવાસિત પણ હતું.
મંત્રી કહે છે, “જુઓ સાહેબ ! આ પાણી આપની આગળ પીવા માટે સોનાના ગ્લાસમાં મૂકવામાં આવેલું. માફ કરજો, પણ એને જ આપ કોઈ દિવ્ય કુવાનું પાણી કહી રહ્યા હતા.'
રાજા ચોંકી ઊઠી કહે છે, “અરે ! મને ગટરનું પાણી પીવરાવ્યું?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org