________________
ધ્યાન અને જીવન
એમાંથી જ છૂટા પડેલા થોડા પુદ્ગલ એ ‘દૂધ' તરીકે બહાર આવ્યા. એ બહુ સારા ? એના પેંડા, બરફી, દૂધપાક બહુ સારા ? ગટરના પાણીને ફિલ્ટર કરીને સુવાસિત બનાવીને આપે એ બહુ સરસ ? પુદ્ગલના ખેલ પર દૃષ્ટાન્ત :
એક જિતશત્રુ નામના રાજાએ પાર્ટી ગોઠવી. પછી જમતાં જમતાં વાનગીઓની પોતે પ્રશંસા કરે છે, ને એમાં અમલદારો, શેઠિયાઓ સૂર પૂરે છે, માત્ર મહામંત્રી સુબુદ્ધિ મૌન છે, રાજા પૂછે, ‘તમે કેમ કાંઈ બોલતા નથી ?' કલ્યાણમિત્ર કોણ ? :
મંત્રીએ જોયું કે ‘રાજા મૂઢ બન્યો છે, ને મને પૂછે છે, તો આ અવસર સારો છે, એની જરા આંખ ખોલું, જેથી તુચ્છ અન્ન પાછળની મૂઢતા મટે.' સ્વજન-સ્નેહી મિત્ર-મંત્રી વગેરે તો ક્લ્યાણમિત્ર હોવા જોઈએ.
૫૧
કલ્યાણમિત્ર એ, કે જે અવસર પામીને સામાને મૂઢતા, મિથ્યામતિ, અપકૃત્ય વગેરેથી બચાવી લેવાનો પ્રયત્ન કરે.
અહીં બધા ભેગા થયેલા તો મૂઢતામાં હાજી-હા કરી રહ્યા છે પણ મારે એ ટળે એવો જવાબ દેવો જોઈએ.' તેથી મંત્રી કહે, ‘મહારાજા ! આમાં શું બોલવા જેવું છે. આ તો પુદ્ગલના ખેલ છે.'
રાજા પૂછે છે, ‘એ પુદ્ગલના ખેલ વળી શું ?'
મંત્રી કહે છે, ‘એ અવસરે બતાવીશ.'
ભોજન પત્યા પછી રાજા અમલદારો સાથે રાજવાટિકાએ ઊપડ્યો. નગરની બહાર નીકળતાં, પાસે વહેતી લોકોના મળમૂત્ર વગેરેની ખાળ વહી રહી હતી, તેની બદબો નાકે આવતાં રાજાએ અને અમલદારોએ સૂગથી મોં મચકોડી નાકે ડુચા માર્યા, પણ માત્ર મંત્રીએ ન તો સૂગ કરી, ન મોં મચકોડ્યું, કે ન નાકે ડુચો લગાવ્યો. આગળ જઈ રાજા એને પૂછે છે,
‘કેમ ? તમને બદબો ન લાગી ? ડુચો કેમ ન માર્યો ?'
મંત્રીએ અહીં પણ અવસર જોઈ કહ્યું, ‘મહારાજા ! એમાં શો ડુચો મારવો ? એ તો બધું પુદ્ગલના ખેલ છે.’
વળી આ ય પુદ્ગલના ખેલ શું ?'
મંત્રી ઉત્તર કરે છે, ‘એ અવસરે બતાવીશ.’
બસ, મંત્રીએ એક દિવસ અવસર સાધી રાજાને જમવા નોંતર્યો. જમતી વખતે વચમાં પાણી પીતાં રાજા કહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org