SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦મ ધ્યાન અને જીવન ધંધામાં આત્માનો ઉદ્દેશ કેવી રીતે? સંસારની પ્રવૃત્તિ પણ આત્માને ઉદ્દેશીને થાય. દા.ત. નોકરી-ધંધો કરો છો. ત્યાં આ ઉદેશ મનમાં રમ્યા કરે કે “શું કરું? આ મોહના પક્ષે બેઠો છું એટલે આ અવળી ચાલે ચાલું છું, ને એમાં મારા આત્માનું હિત વટાઈ જાય છે, આત્માનો હિતસાધનાનો અમૂલ્ય સમય પણ લૂંટાઈ જાય છે, પૂર્વનું આત્માનું પુણ્યધન પણ લૂંટાઈ જાય છે અને આત્માને પાપકર્મો અને કુસંસ્કારોની ય ખરીદી થાય છે. પરંતુ આ સંસાર લઈ બેઠો છું ત્યાં સુધી પૈસા વિના ચાલતું નથી, એટલે જીવનજરૂરી આવકનો આ ધંધો કરી લઉં, જેથી પછી ચિત્તને અસમાધિ ન રહે અને દેવ-દર્શન-પૂજા વગેરે ધર્મ સાધના સમાધિપૂર્વક થઈ શકે.” ધંધા વખતે મનની ચોંટ, મનનું લક્ષ, આ વસ્તુ પર રખાય, સમાધિથી દેવપૂજાદિ સત્કાર્યો કરવા ઉપર રખાય, એ આત્માને ઉદ્દેશીને ધંધાનું કાર્ય કર્યું કહેવાય. કોઈને મળવા-કરવામાં આત્માનો ઉદ્દેશ : એમ કોઈ મળવા આવ્યું કે આપણે મળવા ગયા અને સામાએ સંસારની વાતો કાઢી. ત્યાં આંતરિક લક્ષ એ રાખવાનું કે હૃદયથી આપણે એમાં રસ ન રાખીએ. છતાં વાતો કરવી જ પડે છે તો એને ધર્મનો ઝોક આપીએ, અર્થાતુ એમાં સીફતથી કર્મનો પ્રભાવ, દેવગુરુની કૃપા, કે આત્માએ દોષોથી બચવાનું વગેરે લાવી દઈએ. વળી જે વાતો કરવી જ પડે છે તો બહુ અલ્પ વાત એ લક્ષ રાખીને કરાય કે “એક ધર્મી તરીકે મને અને ધર્મને લોકો બુધ્ધ, વ્યવહારમૂર્ખ, કે અતડો અક્કડ ન સમજે એ માટે જ આ મળવાનું ને વાત કરવાનું કરવું પડે છે, પણ એમાં મને રસ નથી.' તો આ પણ આત્માને ઉદેશીને પ્રવૃત્તિ થઈ, અલબતુ એવા ફજુલ મળવા-કરવા કે વાતો કરવાથી બચાય એટલું તો બચવાનું જ, એ બને તેટલું ટાળવાનું જ. તો જ આત્માનો ઉદ્દેશ સચવાય. ખાનપાનમાં બચવા : ત્યારે, ખાનપાનમાં જીવ રાગદ્વેષથી લેપાયા જ કરે છે. ત્યાં બચવા માટે ધ્યાનમાં રખાય કે “ભલા જીવ ! જેજે આમાં કાંઈ બહુ ખુશી કે નારાજ થવા જેવું નથી. કેમકે આ ગમે તેટલાં સારાં ખાનપાન હોય તો ય ખરેખર તો એકેન્દ્રિય જીવનાં કલેવર છે. એના પર ખુશી શી ? મડદાં પર ઉજાણી તો ગીધડાં માને. હું તો માનવ છું, મારે એમ ઉજાણી ન મનાય. ત્યારે, બનાવટમાં જરા ઓછું વધતું થયું તો એમાં નારાજ શું થયું ? ગમે તેવું સારું કે નરસું અંતે તો માટી જ થાય છે. કહેવાય છે ને કે “ઊતર્યું ઘાંટી, થયું માટી ?” “આ તો બધા પુદ્ગલના ખેલ છે.” ગાય-ભેંસે ઘાસ ખાધું, એના મોંની લાળ અને શરીરના પિત્ત આદિ સાથે ભળ્યું, -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy