SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન શુભ ચાલ્યા કરે અને એથી કર્મબંધ શુભ રહ્યા કરે. જીવનમાં પ્રતિસમય કર્મ તો બંધાય જ છે, શુભમાં શુભ અને અશુભમાં અશુભ. એટલે જીવનને ધ્યાન સાથે ઘનિષ્ઠ સંબન્ધ છે, તેમ જીવનની પ્રવૃત્તિઓ સાથે ધ્યાનને બહુ સંબન્ધ છે. અહીં એક પ્રશ્ન થાય છે, પ્ર. સંસારી જીવને સંસારમાં રહ્યે મોટા ભાગે પ્રવૃત્તિઓ તો સંસારની જ ચાલ્યા કરે છે. ચૂલો-હોલો, ધંધો-રોજગાર, ખાન-પાન, સ્વજન-સ્નેહીની સારસંભાળ વગેરે વગેરે જ ચાલ્યા કરે છે. તો પછી શું બહુધા અશુભ જ ધ્યાન અને અશુભ જ કર્મબંધમાં દટાયા રહેવાનું ? n - ઉ. છે તો લગભગ એવું જ, તે વળી એટલે સુધી કે એમાં ને એમાં બહુ રચ્યાપચ્યા રહેવાથી મન પર એનો કબજો એવો જામી જાય છે કે પછી થોડી ધર્મ પ્રવૃત્તિમાં જીવ લાગે ત્યાં પણ મન તો બિચારું પેલી સાંસારિક એક યા બીજી જળોજથાથી પકડાય છે, મનમાં વિચારો એના આવ્યા કરે છે. એટલે ધર્મ પ્રવૃત્તિમાં પણ અશુભ વિચારથી અશુભ ભાવ અને અશુભ ધ્યાન હૃદયમાં રમ્યા કરે છે. એટલે સોનાની લંકામાં ગયા પછી ય સોનાના વેપારને બદલે કથીરનો વેપાર કર્યા જેવું થાય છે ! અનુભવ છે ને કે તપમાં ખાવાના વિચાર આવે છે, પણ ખાવામાં તપના નહિ ? દેવદર્શન-પૂજા સામાયિક-નવકારવાળીમાં દુનિયાના કામના ને સાંસારિક બાબતના વિચાર આવે છે, પણ દુન્યવી પ્રવૃત્તિઓ વખતે એ ધર્મ પ્રવૃત્તિના નહિ ને ? દેવ-ગુરુ પાસે બેઠા, કુટુંબ-ધન-ધંધાના વિચાર સહેલા, પણ એ કુટુંબ-ધન-ધંધાની પાસે બેઠા, દેવ-ગુરુના વિચાર નથી આવતા ને ? તો પછી જીવનો બેવડો મો ને ? ત્યારે પૂછો, પ્ર. તો પછી બચાવ શી રીતે ? ૪૯ - (૧) પહેલા નંબરે બચાવ ચારિત્રથી જ : ઉ. આ બચાવ માટે જ જ્ઞાનીઓએ પહેલા નંબરમાં ચારિત્ર જીવન કહ્યું છે, કે જેમાં પાપ વિચારોની પોષક સાંસારિક બાબત જ નહિ, કુટુંબ નહિ, ધંધો-રોજગાર નહિ, ધન-માલ નહિ. જીવ આની પાછળ જ પાપો કરે છે, અશુભ ધ્યાનમાં ચડે છે અને અશુભ કર્મોનાં પોટલાં બાંધે છે. માટે એનાં સર્વથા ત્યાગ સાથે સંયમ-તપ-સ્વાધ્યાયમય ચારિત્ર જીવન પહેલા નંબરમાં બચાવ આપી શકે. (૨) બીજા નંબરે બચાવ આ રીતે મળે, કે જે કાંઈ પ્રવૃત્તિ થાય તે પોતાના આત્માને ઉદ્દેશીને થવી જોઈએ. Jan Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy