________________
૪૮
ધ્યાન અને જીવન
કહેતા નહિ કે ‘બાહ્ય ધર્મનું શું કામ છે ? અંતરમાં શુભ ભાવ શુભ ધ્યાન આવે એ જ જરૂરનું છે' આવું માનતા નહિ, બોલતા નહિ. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ બાહ્ય કડક ધર્મનો બહુ અભ્યાસ કર્યો હતો તેથી અશુભમાંથી શુભ ધ્યાન ઊભું થઈ ગયું અને તે પણ ઉત્કૃષ્ટ સુધીનું. તો પૂછો,
પ્ર. બાહ્ય ધર્મ જોરદાર હતો તો, પછી અશુભ ધ્યાન આવ્યું જ કેમ ? ઉ. - આના સમાધાનમાં એક મહત્ત્વનો મુદ્દો મળે છે, તે આ કે, ખોટાં નિમિત્તથી આઘા રહેવું, યા એને લક્ષમાં ન લેવું.
હૈયાના ભાવ ન બગડે એની ચાર વિચારણા :
પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પોતાને લગતી શ્રેણિકના માણસોની વાત લક્ષમાં લીધી એ ખોટું નિમિત્ત સેવ્યું. અને તેથી લહેવાઈ જઈ ધ્યાન બગાડ્યું. જીવનમાં જોજો, કાંઈ બાહ્ય વસ્તુનું નુકસાન હૃદયના ભાવને નથી બગાડતું, પરંતુ એ નુકસાન લક્ષ પર લેવાય એ હૈયાના ભાવ બગાડે છે.
જો લક્ષ પર ન લે, તો કાંઈ બગડે નહિ. ત્યાં એમ વિચારે કે
(૧)‘વસ્તુ મને ક્યાં મળી હતી ? એ તો મારા પુણ્યને મળી હતી. તે હવે પુણ્ય ભાગે તો વસ્તુ સહેજે ભાગે. એમાં મારે શું કામ લહેવાઈ જવું ? મારી હતી જ નહિ, મારી હોત તો મને છોડીને જાત નહિ. જો મારી નહિ તો એ જાય એમાં મારે શું ?
(૨) ‘વળી એવો તો હું કો મહાગુણિયલ, મહાન પરોપકારી સુકૃતો કરનારો તથા ઉત્કૃષ્ટ પુણ્યભર્યો છું કે મારે એકલા લાભનો જ અધિકાર રાખવો ? મારે નુકસાને ય આવે.
(૩) એમ, કર્મે બાહ્યમાં તો નુકસાન કર્યું, પણ હવે હું હૈયું બગાડી મારા જ હાથે અંદરમાં નવું નુકસાન ઊભું કરવાની મૂર્ખાઈ શા માટે કરું ?
(૪) ‘ત્યારે ખરી રીતે મારે ને બહારની વસ્તુને બહુ શું લાગે વળગે છે ? હું અવિનાશી અનંતાનંત કાળનો જીવ, ને વસ્તુ તો નાશવંત ને બહુ અલ્પજીવી. હું જ્ઞાનાદિ ગુણોવાળો અને વસ્તુ જડ, ને આત્માને ય જડ જેવો કરનારી. એને શા સારુ એવું મહત્ત્વ જ આપવું કે જેથી મારામાં જડતા ઊભી થાય ?
આમ જો વિચારાય તો વસ્તુનાં નુકસાન લક્ષ પર નહિ લેવાય. તેથી હૈયાના ભાવ નહિ બગડે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ખોટું નિમિત્ત લક્ષ પર લીધું તેથી અશુભ ધ્યાનમાં પડ્યા. છતાં પાસે ધર્મ સાધના હતી તો એણે પાછા શુભમાં ચડાવી દીધા. સારાંશ એ નીકળે છે કે સારી પ્રવૃત્તિમાં રહ્યા કરો, જેથી ધ્યાન તથા ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org