________________
ધ્યાન અને જીવન (૪૭) પણ અશુભ ધ્યાનમાં ચડવા બરાબર અશુભ કર્મોનો લોટ બાંધવા માંડ્યા. ને પરાકાષ્ઠાએ સાતમી નરકનાં પાપ એકત્રિત કરનારા થયા ! જેને આટલું ઉચ્ચ સાધનાનું પીઠબળ, એમને પણ અશુભ ધ્યાનમાં ચડતાં તીવ્ર અશુભ કર્મોના ગંજ ઊભા થાય, તો જે તમારે એવું પીઠબળ નથી અને રાત-દિવસ અશુભ ભાવ અને અશુભ ધ્યાનમાં રમતા રહો તો કેટલા પાપના ગંજ આત્મામાં ખડકાય ? તો એમ નહિ કહેતા -
પ્ર. - તો પછી કઠોર પણ સાધના કરો કે ન કરો, બધું સરખું જ ને? ધ્યાન પર જ હારવાનું ને જીતવાનું ને ?
ઉ. - ના, સરખું નથી. સાધનાના બળ પર એક એવી ભૂમિકા એક એવું સંસ્કરણ ઊભું થાય છે કે જેના બળ, ઉપર વચમાં કદાચ ભૂલ થઈ, તો તે પછી ભૂલ સુધારી ઊંચે ચડવાનું સરળ બને છે. એટલે જ રાજર્ષિ ભૂલ્યા બાદ જોરદાર ધ્યાનમાં ચડી ગયા. સાધના ન કરી હોત, સંસારમાં બેઠા રહ્યા હોત, તો લડાઈ થતાં કદાચ પછી મરીને નરકમાં ચાલ્યા જાત. પણ અહીં તો તીવ્ર સાધના છે, સાધુવેશ છે, માથું તોલું છે, એણે ઝટ છેક નીચેની પાપખીણમાંથી ઊંચક્યા અને ધર્મના શિખરે ચડાવી દીધા ! ரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரயாயமா
છે. સંસારમાં બચાવ કેમ મળે ?
ધર્મ બે જાતનો, (૧) બહારથી થાય તે બાહ્ય અને (૨) અંદરમાં થાય તે આભ્યન્તર. બાહ્ય ધર્મ આભ્યન્તર ધર્મને જગાવે છે, પોષે છે, વધારે છે.
શુભ ધ્યાન શુભ ભાવ એ આત્તર ધર્મ છે, એ સુલભ ક્યાં? બાહ્ય પાપપ્રવૃત્તિમાં? કે ધર્મ સાધનામાં ?
ધંધામાં કમાઈ લઈ પૈસા ઘરભેગા કરતાં શુભ ભાવ જાગે ? કે દાન દેતાં શુભ ભાવ જાગે ?
મેવા-મિઠાઈ ખાતાં સારા ભાવ થાય? કે આંબેલ કરતાં?
વેપારની વાતોમાં સારા ભાવ ઊછળે ? કે ધર્મની વાતોમાં ? સ્ત્રીઓ યા કુટુંબીઓને જોતાં શુભ ભાવ ખીલે ? કે વીતરાગ પરમાત્મા અને ત્યાગી મુનિઓના દર્શન થતાં ?
આ ચોખ્ખો હિસાબ દેખાડે છે કે સાંસારિક પ્રવૃત્તિઓમાં નહિ, પણ દાન આદિ ધર્મપ્રવૃત્તિમાં શુભ ભાવ જાગે છે, શુભ ધ્યાન સુલભ બને છે. માટે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org