________________
ધ્યાન અને જીવન સાંભળીને શ્રેણિક તો સજ્જડ જ થઈ ગયો કે “આ શું? આટલી ઊંચી કડક સાધના અને સાતમી નરકે ? મારે કાંઈ સાંભળવા ફેર થયો ?” જૈનશાસન નિષ્પક્ષપાત :
પર્ષદામાં રહેલ બીજાઓ પણ આ સાંભળી સજ્જડ થઈ ગયા હશે ને ? પ્રભુ શું કહે છે ? કોના અંગે કહે છે ? રાજવીપણું મૂકી પોતાના એક પરમ ભક્ત શિષ્ય બની ગયેલા અને મહાન સાધના કરનારા તપસ્વી અંગે સાતમી નરક કહે
છે?
હા, એ જ બતાવે છે કે વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા અને એમનું શાસન નિષ્પક્ષપાત છે. એ ગમે તેનું પણ જેવું વસ્તુસ્વરૂપ હોય તેવું જ કહે છે. આ એ જ જિનશાસન છે કે જે પોતાના તીર્થંકર દેવ મહાવીર પ્રભુ માટે પણ કહે છે કે “એ પૂર્વે અઢારમા ભાવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ થઈ ઘણાં પાપ કરીને સાતમી નરકે ગયેલા અને પછી સંસારે ઘણું ભમેલા.” જુઓ ત્યારે બૌદ્ધ ધર્મ શું બતાવે છે?
ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યને કહે છે કે “આજથી પૂર્વે એકાણુમા ભવે મેં એક પુરષને ભાલાથી મારી નાખેલો, તેથી મને અહીં પગમાં કાંટો વાગ્યો.” કહો, ગુનો કેટલો મોટો અને સજા કેટલી બધી નાની ? આવી છે ઈતર દર્શનની વાતો. હિંદુ દર્શનો વળી પરમાત્મપણાના અવતારમાં જ સ્ત્રીહરણ કરે, પરસ્ત્રી પર મોતિ થાય, લડાઈઓ કરે, એ બધું પાછું એમની લીલામાં ખતવે છે. અહીં પ્રભુની નિષ્પક્ષપાત વાણી પોતાના વફાદાર શિષ્ય પ્રસન્નચંદ્ર રાજર્ષિની સાતમી નરક બતાવી રહ્યા છે.
શ્રેણિક રાજા ચમકે છે, “આવા મહાત્માને સાતમી નરક ? મારે કાંઈ સાંભળવામાં ફેર તો નહિ ? ક્ષણવાર પછી ફરીથી પૂછે છે, “ભગવનું ! પ્રસન્નચંદ્ર રાજર્ષિ નથી ને કદાચ હમણાં કાળ કરે તો કઈ ગતિમાં જાય?”
હવે ભગવાન કહે છે, “સર્વાર્થસિદ્ધ વિમાનમાં.”
શ્રેણિકની આંખ હરખથી ચમકી ! પણ એટલામાં તો આકાશમાં દેવદુંદુભિ ગાજી. સાંભળીને રાજા પ્રભુને પૂછે,
“ભગવન્! આ શાની દુંદુભિ વાગી ?” પ્રભુ કહે છે, “એજ પ્રસન્નચંદ્ર ઋષિ કેવળજ્ઞાન પામ્યા, એની વાગી.”
ત્યાં રાજા શ્રેણિકના મનમાં વસવસો થયો, પ્રભુને પૂછે છે કે “પ્રભુ ! આ શું? ક્ષણમાં આટલી બધી ભિન્ન ત્રણ અવસ્થા કેમ ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org