________________
૧૪૪
તે ધ્યાન અને જીવન ઈન્દ્રનો ! ત્યાં બોલી - ઊછામણી ન બોલાય, અભિષેકનો જન્મસિદ્ધ મહાપુણ્યસિદ્ધ હક, અસંખ્ય જિનેશ્વર ભગવંતોને પહેલો અભિષેક કરવાનું મળે એ કેટલી મોટી પુણ્યાઈ ? સીતાજીને એ શી રીતે ઊભી થઈ હશે ? કાયા-ઈન્દ્રિયો-મનને સુંવાળા રાખીને ? વિષયોમાં મહલાવીને ? કે તનતોડ મનમોડ કષ્ટમય સાધના કરીને ? ભારે સુકોમળ હતા, છતાં ચારિત્ર લીધું તે લઈ જાણ્યું. ઈદ્રિયોને ઈષ્ટ વિષયોથી વાળી, રાગદ્વેષને કચરતા રહી. કાયાને ઉગ્ર સંયમ-વિહારનાં કષ્ટથી કચરી મનને એ કાયાની કચરામણ અને અનિષ્ટ વિષયોમાં મસ્ત રાખી ઉગ્ર ચારિત્રનાં પાલન કર્યું હશે, તેથી એ ઉચ્ચ પુણ્યાઈ પામ્યા.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ કરી રહ્યા છે. ઘોર તપસ્યા સાથે ખુલ્લા મેદાનમાં હાથ ઉંચા કરી આતાપના લેતાં શુભ ધ્યાનમાં રહે છે. એમની સાધનાની ગાડી ધસમસ મોક્ષ તરફ દોડી રહી છે. અશુભ ધ્યાનની શિરજોરીઃ
કહો, આવા મહર્ષિ મહાતપસ્વી ચૂકે? ના, પણ જો મનનું ધ્યાન બગડે તો હેઠા ઊતરતાં વાર નહિ. બધું કોરાણે રહી જાય ને નારકી સુધીનાં મલિન પાપ પકડાવી દે. ત્યાં ઓવાની શરમ ન પડે, કરેલી સાધનાઓથી અટકાયત ન થાય. એ તો કાયદો, કે જે વખતે જેવા શુભ યા અશુભ ભાવમાં હો, ત્યાં એ જ વખતે તેવા શુભ યા અશુભ કર્મ બંધાય.” અશુભ ધ્યાનમાં અશુભ ભાવનું રમણ, એટલે એ જો ઉગ્ર અશુભ ધ્યાન હોય તો ઉગ્ર અશુભ ભાવના લીધે ઘોર પાપોનું સર્જન થાય.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચૂકે છે ! બન્યું એવું કે રાજગૃહી નગરીના નાકે જગદ્ગુરુ મહાવીર પ્રભુ પધાર્યા છે. સાથે વિશાળ મુનિ પરિવાર છે. દેવતાઓ પણ સેવામાં છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ પણ સાથે છે, કિન્તુ ત્યાં એ અલગ ભાગમાં જઈ ધ્યાનમાં રહે છે. તે પણ બે હાથ અને મોટું ઊચું રાખીને દૃષ્ટિ સૂરજ સામે લગાવી છે. મગધ દેશનો સમ્રાટ રાજા શ્રેણિક પરિવાર સાથે પ્રભુને વંદન કરવા અને પ્રભુની વાણી સાંભળવા ત્યાં થઈને જાય છે. એમાં આ મહર્ષિની તડકામાં આતાપના કડક સાધના જોઈ નમસ્કાર કરીને ચક્તિ થતો પ્રભુની પાસે પહોંચે છે. વંદના કરીને પ્રભુને પૂછે છે,
“ભગવનું ! પેલા મહર્ષિ સ્મશાનમાં ધ્યાનમાં ઊભા છે તે સો વરસ જીવો, પણ કદાચ જે હમણાં એમનું અવસાન થાય તો કઈ ગતિમાં જાય ?
ભગવાન ઉત્તર કરે છે કે હમણાં જો મરે તો સાતમી નરકે જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org